Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
યોગબિંદુ આદિ સૂક્તરત્નમંજૂષા
ભિન્નગ્રંથિક જીવનું મન પ્રાયઃ મોક્ષમાં હોય છે. સંસારમાં
શરીર જ હોય છે. એટલે તેની બધી જ ક્રિયા એ નિશ્ચયનયથી યોગ છે.
૪૨
२०४ नार्या यथाऽन्यसक्तायाः, तत्र भावे सदा स्थिते ।
तद्योगः पापबन्धश्च तथा मोक्षेऽस्य दृश्यताम् ॥३७॥
જેમ પરપુરુષમાં આસક્ત સ્ત્રીનું મન સદા પરપુરુષમાં હોવાથી (પોતાના પતિની સેવા કરે ત્યારે પણ) પરપુરુષનો જ સંબંધ ગણાય અને પાપનો જ બંધ થાય; તેમ ભિન્નગ્રંથિક જીવનું મન મોક્ષમાં હોવાથી સંસારના કાર્યો પણ નિર્જરા જ કરાવે.
२५३ शुश्रूषा धर्मरागश्च, गुरुदेवादिपूजनम् ।
यथाशक्ति विनिर्दिष्टं, लिङ्गमस्य महात्मभिः ॥ ३८ ॥ જિનવચન સાંભળવાની ઇચ્છા, શ્રુત-ચારિત્ર ધર્મનો રાગ, શક્તિ અનુસારે દેવ-ગુરુની ભક્તિ એ મહાત્માઓએ સમ્યગ્દર્શનનું લિંગ કહ્યું છે.
- અનુષ્ઠાનશુદ્ધિ
२११ विषयात्माऽनुबन्धैस्तु, त्रिधा शुद्धमुदाहृतम् ।
अनुष्ठानं प्रधानत्वं ज्ञेयमस्य यथोत्तरम् ॥३९॥ અનુષ્ઠાનને વિષય, સ્વરૂપ અને અનુબંધ એમ ૩ પ્રકારે શુદ્ધ કહ્યું છે અને તે ત્રણેની ઉત્તરોત્તર પ્રધાનતા જાણવી.