Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
૬
દ્વામિંશદ્ દ્વાચિંશિકા સૂક્તરત્નમંજૂષા
માત્ર ક્રિયાથી થયેલ કષાયનો નાશ, દેડકાના ચૂર્ણ જેવો (ફરી ઉત્પન્ન થાય તેવો) છે. ભાવપૂર્વકની ક્રિયાથી થયેલ કષાયનાશ દેડકાની ભસ્મ જેવો (ફરી ઉત્પન્ન ન થાય તેવો) છે.
– ગુણાનુરાગ – ३/३० गुणी च गुणरागी च, गुणद्वेषी च साधुषु ।
श्रूयन्ते व्यक्तमुत्कृष्ट-मध्यमाधमबुद्धयः ॥१३॥
ગુણી, ગુણરાગી અને સાધુ પર ગુણદ્વેષી એ અનુક્રમે ઉત્કૃષ્ટ-મધ્યમ-અધમ બુદ્ધિવાળા કહ્યા છે. ३२/५ सज्जनस्य विदुषां गुणग्रहे,
दुषणे निविशते खलस्य धीः । चक्रवाकदृगहर्पतेर्युतौ, घूकदृक् तमसि सङ्गमङ्गति ॥१४॥
જેમ ચક્રવાકની દૃષ્ટિ સૂર્યપ્રકાશમાં અને ઘુવડની દૃષ્ટિ અંધકારમાં શક્તિમાનું બને છે તેમ સજ્જનની બુદ્ધિ વિદ્વાનોના ગુણના ગ્રહણમાં અને દુર્જનની બુદ્ધિ દોષના ગ્રહણમાં પ્રવર્તે છે. ५/४ अप्रीति व कस्यापि, कार्या धर्मोद्यतेन वै ।
इत्थं शुभानुबन्धः स्याद्, अत्रोदाहरणं प्रभुः ॥१५॥
ધર્મમાં ઉદ્યત વ્યક્તિએ કોઈને અપ્રીતિ થાય તેવું ન કરવું, તો જ શુભ અનુબંધ થશે. અહીં (અપ્રીતિ નિવારવા વિહાર કરી જનાર) પ્રભુ વીરનું ઉદાહરણ સમજવું.