Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text
________________
દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા સૂક્તરત્નમંજૂષા
२७/१२ अज्ञातोञ्छं चरन् शुद्धं, अलोलोऽरसगृद्धिमान् । ऋद्धिसत्कारपूजाश्च, जीवितं यो न काङ्क्षति ॥४२॥
૪
‘સાધુ આવવાના છે’, તેવી ખબર નથી તેવા ઘરોમાંથી જ નિર્દોષ ગોચરી લેનાર, લોલુપતા કે સ્વાદની આસક્તિ વિનાનો, ઋદ્ધિ, સન્માન, પૂજા કે અસંયત જીવનની જે ઇચ્છા ન કરે... २७ / १३ यो न कोपकरं ब्रूयात्, कुशीलं न वदेत् परम् ।
प्रत्येकं पुण्यपापज्ञो, जात्यादिमदवर्जितः ॥४३॥
જે બીજાને ગુસ્સો આવે તેવું ન બોલે, બીજાને ‘તું કુશીલ છે' તેવું ન કહે, બધા પુણ્ય-પાપના ફળ છે તેવું જાણનાર, જાતિ વગેરેના મદથી રહિત...
२७ / १५ उद्वेगो हसितं शोको, रुदितं क्रन्दितं तथा ।
यस्य नास्ति जुगुप्सा च, क्रीडा चापि कदाचन ॥४४॥ ઉદ્વેગ, હાસ્ય, શોક, રુદન, આક્રંદ, જુગુપ્સા અને ક્રીડા જેને કદી ન હોય...
२७ / १६ इदं शरीरमशुचि, शुक्रशोणितसम्भवम् ।
अशाश्वतं च मत्वा यः, शाश्वतार्थं प्रवर्तते ॥४५॥ શુક્ર-શોણિતથી ઉત્પન્ન થયેલું આ શરીર અશુચિ અને અનિત્ય છે” એમ માનીને જે શાશ્વત એવા મોક્ષ માટે પુરુષાર્થ કરે...