Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 59
________________ ૪3 યોગબિંદુ २१२ आद्यं यदेव मुक्त्यर्थं, क्रियते पतनाद्यपि । तदेव मुक्त्युपादेय-लेशभावाच्छुभं मतम् ॥४०॥ મોક્ષ માટે જે પર્વત પરથી ઝંપાપાત કરવો વગેરે કરાય તે પહેલું(વિષયશુદ્ધ) જાણવું.. તે મોક્ષની આંશિક ઇચ્છા હોવાથી શુભ મનાયું છે. २१३ द्वितीयं तु यमाद्येव, लोकदृष्ट्या व्यवस्थितम् । न यथाशास्त्रमेवेह, सम्यग्ज्ञानाद्ययोगतः ॥४१॥ સમ્યજ્ઞાન વગેરે ન હોવાથી શાસ્ત્રને નહીં અનુસરનારું એવું લોકવ્યવહારથી યમ-નિયમાદિનું પાલન તે બીજું (સ્વરૂપશુદ્ધ) અનુષ્ઠાન છે. २१४ तृतीयमप्यदः किन्तु, तत्त्वसंवेदनाऽनुगम् । प्रशान्तवृत्त्या सर्वत्र, दृढमौत्सुक्यवर्जितम् ॥४२॥ તત્ત્વસંવેદનજ્ઞાનથી યુક્ત, સર્વત્ર ઉપશમભાવપૂર્વક અને ફળની જરાપણ ઉત્સુકતા વિનાનું યમ-નિયમનું પાલન ત્રીજું (અનુબંધશુદ્ધ) અનુષ્ઠાન છે. २१५ आद्यान्न दोषविगमः, तमोबाहुल्ययोगतः । तद्योग्यजन्मसन्धानं, अत एके प्रचक्षते ॥४३॥ અજ્ઞાનની બહુલતાના કારણે પહેલા(વિષયશુદ્ધ)થી દોષનાશ નથી થતો. કેટલાક એમ કહે છે કે - તેનાથી દોષનાશ માટેના જન્મની પ્રાપ્તિ થાય.

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106