Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 38
________________ પોડશકાદિ સૂક્ત- રત્ન- મંજૂષા અતિશય અભ્યાસના કારણે જે આત્મસાત્ થઈ ગયું હોય તે રીતે સાધુઓ જે કરે છે, તે અસંગઅનુષ્ઠાન છે, અને તે વચનાનુષ્ઠાનના સંસ્કારથી થાય છે. – પાંચ પ્રકારની ક્ષમા – १०/१० उपकार्यपकारिविपाकवचन-धर्मोत्तरा मता क्षान्तिः । आद्यद्वये त्रिभेदा, चरमद्वितये द्विभेदेति ॥४०॥ ઉપકારી-અપકારી-વિપાક-વચન અને ધર્મ એ પદોથી યુક્ત ક્ષમા છે. પહેલા બે (પ્રીતિ-ભક્તિ) અનુષ્ઠાનમાં (પહેલા) ત્રણ પ્રકારની અને છેલ્લા બે (વચન-અસંગ) અનુષ્ઠાનમાં (છેલ્લા) બે પ્રકારની હોય છે. -- શુશ્રુષા - १०/१४ शृण्वन्नपि सिद्धान्तं, विषयपिपासाऽतिरेकतः पापः । प्राप्नोति न संवेगं, तदाऽपि यः सोऽचिकित्स्य इति ॥८॥ અતિશય વિષયતૃષ્ણાના કારણે જે પાપી સિદ્ધાંત સાંભળતી વખતે પણ સંવેગ ન પામે, તે અસાધ્ય છે. १०/१५ नैवंविधस्य शस्तं, मण्डल्युपवेशनप्रदानमपि । कुर्वन्नेतद् गुरुरपि, तदधिकदोषोऽवगन्तव्यः ॥८२॥ આવા જીવને અર્થમાંડલીમાં બેસવા દેવું પણ સારું નથી. તેમ કરનાર ગુરુને તે (શિષ્ય) કરતાં પણ અધિક દોષ લાગે, તેમ જાણવું.

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106