Book Title: Sukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 34
________________ ષોડશકાદિ સૂક્ત - રત્ન - મંજૂષા ३/१२ आशयभेदा एते, सर्वेऽपि हि तत्त्वतोऽवगन्तव्याः । भावोऽयमनेन विना, चेष्टा द्रव्यक्रिया तुच्छा ॥६४॥ આ (પ્રણિધાનાદિ) બધા વાસ્તવિક રીતે આશયના ભેદો છે, એ જ ભાવ છે. એના વિનાની ક્રિયા, તુચ્છ દ્રવ્યક્રિયા છે. ધર્મસિદ્ધિ ૧૮ ४/२ औदार्यं दाक्षिण्यं, पापजुगुप्साऽथ निर्मलो बोधः । लिङ्गानि धर्मसिद्धेः, प्रायेण जनप्रियत्वं च ॥६५॥ ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપની જુગુપ્સા, નિર્મળ બોધ અને પ્રાયઃ લોકપ્રિયતા, આ બધા ધર્મસિદ્ધિના લિંગ છે. ૪/૨ तन्नास्य विषयतृष्णा, प्रभवत्युच्चैर्न दृष्टिसंमोहः । अरुचिर्न धर्मपथ्ये, न च पापा क्रोधकण्डूतिः ॥६६॥ તેથી (ધર્મ સિદ્ધ થવાથી) એને વિષયતૃષ્ણા પરાજિત કરતી નથી. દૃષ્ટિસંમોહ થતો નથી. હિતકર એવા ધર્મમાં અરુચિ થતી નથી અને પાપી ક્રોધરૂપ ખુજલી થતી નથી. જિનમંદિરનિર્માણ ~~~ ६/६ तत्रासन्नोऽपि जनो ऽसम्बन्ध्यपि दानमानसत्कारैः । कुशलाशयवान् कार्यो, नियमाद् बोध्यङ्गमयमस्य ॥६७॥ ત્યાં (દેરાસરની ભૂમિમાં) નજીકના લોકો, જે કોઈ સંબંધી નથી, તેમને પણ દાન-માન-સત્કારથી શુભાશયવાળા કરવા. એ નિયમથી તેમને સમ્યગ્દર્શનનું કારણ છે.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106