________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય તીર્થના ઉદ્ધારે.
બને સ્ત્રી પુરુષ જિનમંદિરના ઉપરના ભાગ ઉપર ચઢીને પિતાના સેવકાની સાથે નૃત્ય કરતાં હતાં. તેવામાં વ્યંતર દેવોએ પૂર્વના વૈરથી તેઓને કયાંક ગુમ કરી દીધાં, જેથી ફરી તેઓ જણાયાંજ નથી. (કે કયાં ગયાં ?) ખરેખર, પૂર્વનું વૈર દુત્યજ છે–ત્યજવાને અશકય છે. ૧૫૯-૧૬૦
વાડ્મટને પાંચમો ઉદ્ધાર. હવે, જે પાંચમે ઉદ્ધારક પ્રસિદ્ધ થયે છે, તે વિષે હું કહું છું તે સાંભળ; શ્રીમાન શ્રીમાળ (શ્રીમાળી ) વંશમાં પૂર્વે બાહિત્ય નામનો એક પુરુષ થઈ ગયો છે. તે જહાજની પેઠે સર્વ મનુષ્યોને દરિદ્રતારૂપ સમુદ્રમાંથી તારનારે હતું, તેને પુત્ર આવર હતો, ૧૬૬ તે આશ્વરને પુત્ર રાહિલ નામને હતો, એ દેહિલને જુજઝનાગ નામને મહાભાગ્યશાળી પુત્ર હતો અને તેને પુત્ર બીજા દેવ જે વીરદેવ નામનો હતો. આશ્ચર્ય માત્ર એટલું જ હતું કે એ વીરદેવ સાક્ષાત દેવ સમાન હતો છતાં કવિ (શુક્રાચાર્ય અથવા વિદ્વાન) ને દ્વેષી ન હતો અને દાનવશંવદ ન હતો.(અર્થાત્ દાનવોનું કલ્યાણ ઈચ્છનારે ન હત-દાનવને શત્રુ ન હતું પણ દાનને વશ રહેનાર હતો-મોટો દાતા હતો.) ૧૬૨-૬૪ તે વીરદેવનો પુત્ર ઉદયન નામને હતું. તેને ભાગ્યરૂપી સૂર્ય જગતમાં ઉદય પામીને પિતાનાં કિરણનો પ્રકાશ સર્વત્ર પાડી રહ્યો હતો. એ ઉદયનને બે પુત્રો હતા. મોટાનું નામ વાડ્મટ હતું અને નાનાનું નામ આદ્મભટ હતું. આ બને પુત્ર સજજનેનું સદા હિત કરનારા હતા. તે સમયે આ શ્રીજયસિંહ રાજાએ પોતાની પૃથ્વીરૂપ મંડપના આધાર તરીકે ઉદયનને એક સ્તંભ રૂપે સ્થાપ્યો હતો-અર્થાત જયસિંહે ઉદયનને પિતાના મંત્રી બનાવ્યો હતે, કેમકે તે મહાસત્ત્વવાન હતા. ૧૬૭ ઉદયનમંત્રી પણ રાજાના મુખ્ય પ્રધાનપદને પામીને રાજ્યનાં એવા કામ
( ૧૫૩ )
For Private and Personal Use Only