________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંઘનું પાટણ તરફ પ્રયાણ દૂર કરવા માટે શ્રી નેમિનાથની આજ્ઞા પ્રમાણે કૃષ્ણ, પાતાલમાંથી એ પાર્શ્વનાથ ભગવાનને પ્રગટ કર્યા અને તેમના સ્નાત્રજળના સિંચનથી સર્વ મનુષ્યોને નીરોગી કર્યા. તે પાર્શ્વનાથ ભગવાન સર્વનું કલ્યાણ કરો. ૨૫° સાધુ દેશલે એ શંખેશ્વર તીર્થમાં મહાદાન, મહાપૂજા અને મહાધ્વજ–વગેરે સર્વ વિધિ કર્યા અને શ્રીપાર્ધભગવાનને પ્રણામ કરી હરીજ નામના ગામમાં તે ગયો. ત્યાં શ્રી ઋષભદેવ ભગવાનને વંદન કરી તેણે પાટણ તરફ પ્રયાણ કર્યું. ૨૫૧-૨૫૨ શ્રી પાટણની પાસે ‘સેઈલ” નામનું એક ગામ આવેલું છે, ત્યાં આવીને દેશલે સમરસિંહઠારા સંધના નિવાસસ્થાન કરાવ્યાં અને સંધના ત્યાં પડાવ નંખાવ્યો. ૨૫
એ વખતે શ્રીદેશલને સંઘના લેકે સાથે કુશળક્ષેમ ત્યાં આવેલા સાંભળી, પાટણના લેકે હર્ષથી પ્રફુલ થઈ ગયા અને તેઓ સર્વ પિતાનાં કાર્યો પડતા મૂકીને સંઘની સામે આવ્યા. ૨૫૪ તે અ ન્યની સ્પર્ધાપૂર્વક ત્યાં એકઠા મળેલાં સર્વ મનુષ્યોએ સંધપતિ દેશલના તથા સમરસિંહના ચરણનું ચંદન તથા સુવર્ણનાં પુષ્પોથી પૂજન કર્યું. અને દેવના ચરણમાં જેમ પ્રણુમ કરે તેમ, તેઓના ચરણમાં મસ્તક નમાવીને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા, તેમજ તેઓએ પિતે પણ શ્રીવિમલાચલ તીર્થની જાણે યાત્રા કરી હોય તેમ માન્યું. ૨૫-૨૫૬ તે પછી નગરની લેકેએ, યાત્રા કરીને પિતાના નગરમાં આવેલા તથા જયલક્ષ્મીને પામેલા ધર્મચક્રવર્તી
એ દેશલના કંઠમાં હર્ષપૂર્વક પુષ્પની માળા પહેરાવી. ૨૫૭ તે સમયે અન્યના દર્શન કરીને જેઓનાં નેત્ર અતૃપ્ત જ રહ્યાં હતાં એવા તે નગરવાસીઓમાં બધું પિતાના બંધુને, પિતા પોતાના પુત્રને, મિત્ર પિતાના મિત્રને અને પિતા પોતાના કુટુંબને અન્યોન્યના શરીરમાં શરીર નાંખી દેવા ઇચ્છતા હોય તેમ ભેટી પડથા.૨૫૮ એટલું જ નહિ પણ જેઓ તીર્થ કરીને આવ્યા હતા તેઓને પૂજ્ય
(૨૭)
For Private and Personal Use Only