________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય તીર્થના ઉતારે
અને એક વર્ષમાંજ સંપૂર્ણ તૈયાર થયેલા તે મંદિર પર કળશ પણ ચઢાવી દીધો. ૨૪ એ રીતે કારીગર લોકેએ તેના પર કળશ ચઢાવ્યો ત્યારે, તે વધામણું આપવા માટે તેઓએ એક પુરુષને વિજ્ઞપ્તિપત્ર સાથે વાલ્મટ પાસે રવાના કર્યો. ૨૨૫ વાલ્મટમત્રીએ તે પુરુષદ્વારા આવેલા વિજ્ઞપ્તિપત્રનું સીલ તોડીને તે લેખ વાંચ્યો અને દેરાસરને સંપૂર્ણ તૈયાર થઈ ગયેલું જાણું પોતે અત્યંત પ્રસન્ન થયો. ૨૨૬ તે વખતે મંત્રીનાયક વાડ્મટે, આનંદથી રોમાંચિત થઈને તે લેખ લાવનારના પુરુષને નરદમ સુવર્ણની એક જીભ અર્પણ કરી. ૨૨૭ તે પછી વાગી રહેલાં વાદિના ધ્વનિઓથી ગગન મંડળ તથા ભૂમંડળના મધ્ય પ્રદેશને ભરી દેનાર મહોત્સવ ચાલુ થયો. ૨૨૮ એટલે તે જ સમયે બીજો એક પત્ર લાવનારે પુરુષ. શત્રુંજય પર્વતથી એક લેખ લઈને ત્યાં આવ્યો અને મંત્રીએ પોતે જ એ લેખને વાં. ૨૨૯ તેમાં આ પ્રમાણે લખ્યું હતું –“હે મંત્રિન ! દેરાસર, જેવું તૈયાર થયું કે તુરતજ પાછું મૂળમાંથી તૂટી પડયું છે.” ૨૩૦ આ જાણીને મંત્રીને તે ઉલટો બમણો આનંદ થયો, ત્યારે ખેદ પામેલા સમગ્ર સભાના લેકેએ મંત્રીને કહ્યું કે, ૨૩૧ હેમત્રિન ! આ ખેદ કરવાના સમયે તમને બમણે હર્ષ થયા, તેનું શું કારણ? ત્યારે મંત્રીએ કહ્યું –“મારા જીવતાં જ આવું બન્યું તેથી મને હર્ષ થાય છે. કેમકે મારા મરણ પછી જે આ દેરાસર તૂટી પડયું હતું તો તેને કેાણ કરાવત ? પણ મારાં જીવતાં તે પડી ગયું છે, તેથી હું તે ફરીથી બંધાવીશ. ૨૩૨-૨૩૩ મત્રીના એ વિચાર સાંભળી સર્વ સભાસદ તે ચકિત જ થઈ ગયા. તેઓ પિતાનાં મસ્તક ધૂણાવતા મહેમાંહે કહેવા લાગ્યા કે, ૨૩૪ અહે! ધન્ય છે આ મંત્રીશ્વરને ! કે જેની બુદ્ધિ આવા ઉલ્લાસવાળી છે! ખરેખર પુણ્યશાળી પુરુષોની બુદ્ધિ પવિત્ર અને દીર્ધદષ્ટિવાળી હોય છે. ૨૩૫ પછી મંત્રીએ, તે કામ કરનારા મુખ્ય
(૧૫૯)
For Private and Personal Use Only