________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૫
તે મરુદેવી માતાનું વિધિપૂર્વક પૂજન કર્યું અને આગળ ચાલી શ્રીશાંતિનાથના દેરાસરમાં જઈ તે ભગવાનનું પણ તેણે પૂજન કર્યું. પછી સંધપતિ દેશલ, આદિનાથ વગેરે જિનેશ્વરની પૂજા કરીને સંધની સાથે કર્યાર્દિ યક્ષનાં દર્શન કરવા માટે ગયે, કે જેની મૂર્તિને તેણે પોતેજ ઉદ્ધાર કર્યો હતે. ૧૨ ત્યાં જઇને તે આખા સંધની સાથે ઉભો રહ્યો અને ફરતી પતાકાવાળા દેરાસરને જોઈને તેણે માન્યું કે, સંસાર સમુદ્રને સામે પાર જવા માટે આ એક નૌકાપાત્રજ તૈયાર કરવામાં આવ્યું છે. ૧૩ એ રીતે એક દૃષ્ટિથી તેને જેતે જે સંઘપતિ દેશલ અનુક્રમે યુગાદિનાથ ભગવાનના સિંહદ્વારમાં જઈ પહોંચે. તે દ્વાર પ્રવેશ કરતી વખતે મોક્ષલક્ષ્મીનું જ જાણે બારણું હોય તેવું જણાતું હતું. ૧૪ ત્યાં ઉભા રહીને દેશલે શ્રીયુગાદિનાથ ભગવાનનાં દર્શન કર્યા અને પછી હર્ષપૂર્વક સુવર્ણ, વસ્ત્રો, મિતીઓ તથા અલંકારો વગેરે પુષ્કળ ધનની વૃષ્ટિ કરી.૨૫ તે પછી દેરાસરના મધ્ય પ્રદેશમાં પ્રવેશ કરી તેનું ચિત્ત પોતે કરાવેલી આદિનાથ ભગવાનની મૂર્તિને વંદન કરવા માટે આતુર બન્યું અને તુરતજ પૃથ્વી પર લાટી પડીને સંઘપતિ દેશલ આદિનાથ ભગવાનની સમીપમાં ગયો. પછી પોતે ઉભો થઈને અમૃતની મૂર્તિને જેમ ભેટી પડે તેમ, સર્વાગે એ ભગવાનને ભેટી પડ્યો. કેમકે સમગ્ર જગતને સજીવન કરનારા–કવિતદાન આપનારા દુર્લભ ખજાનાને સંપાદન કરી કે મનુષ્ય મદમત્ત ન બને–આનંદમગ્ન ન થાય? તેણે ભકિતપૂર્વક પ્રણામ કરીને આદિનાથની તે લેખમય મૂર્તિનું પુષ્પ વગેરેથી પૂજન કર્યું અને પછી તેમને પ્રદક્ષિણું કરવાનું મન કરીને કેટાકાટીના ચૈત્યમાં રહેલા સર્વ અરિહંતની પણ પૂજા કરી. તે પછી સંધનાથ દેશલે (ત્યાં રહેલી) પાંડવોની પાંચે મૂર્તિઓનું તથા (તેઓની માતા) કુંતીનું પણ પૂજન કર્યું અને ત્યાંથી આગળ
(૨૦૨)
For Private and Personal Use Only