________________
સી. વી. રાવલ
SAMBODHI રીતે જ અનેક વિદ્યા-સંસ્થાઓ, વિશ્વવિદ્યાલયો દ્વારા ઉચ્ચ ઉપાધિઓ અને સમ્માન પ્રાપ્ત થયાં છે. અતિ વિદ્વાન વકતા-લેખકો-ના કથયિત્વ-લેખનમાં ઘણીવાર દુર્બોધતા અને જટિલતા પ્રવેશી જતાં જોવામાં આવે છે. પરંતુ ડૉ.શાહના સર્જનમાં અને વક્તવ્યમાં ઉપર્યુક્ત કિલષ્ટતા કે દુર્બોધતાનો સુખદ અભાવ જોવા મળ્યો છે. અધ્યાત્મશાસ્ત્ર કે તત્ત્વજ્ઞાન જેવા દુર્બોધ ગણાતા વિષયોના નિરૂપણ તેમજ અભિવ્યક્તિમાં પારદર્શિતા અને પ્રાસાદિકતાનો અનુભવ થાય છે. પરંતુ તે ક્યારે શક્ય બને ? જો લેખક કે વક્તાએ એ વિષયને સાચે જ આત્મસાત્ કર્યો હોય તો. તેમણે સાહિત્ય, ધર્મ, તત્ત્વચિંતનના સંશોધન-અધ્યયનવિવરણ-વિવેચનક્ષેત્રે માતબર ગણનાપાત્ર પ્રદાન કર્યું. તેમની કર્તવ્યનિષ્ઠા, સાહિત્ય-સાધના, આધ્યાત્મિક્તા, સિદ્ધાંતનિષ્ઠા કે સ્વમાનભાવના સાથે પરમાર્થ પરાયણતા આપણને અભિભૂત કરે એવાં હતાં. એમનું આભિજાત્ય સાચા સાક્ષરને શોભે એવું હતું; આથી જ તેમને આધુનિક યુગના ગૃહસ્થઋષિ કહેવા મન લલચાય છે. તેઓશ્રીનું વિદ્યાવર્તુળ તેમ સ્નેહીવૃંદ વિશાળ છે. તેઓ સ્વયં ધર્મતત્ત્વજ્ઞાન અને સંસ્કૃત ભાષા-સાહિત્યની વિદ્યાપીઠ સમાન હતા. સૌજન્ય અને સાક્ષરતાનો આવો સુભગ સમન્વય અન્યત્ર ભાગ્યે જ મળે. નિર્વાણ ગિરાની એમની સાધના માથું નમાવે એવી છે. આ સાધના અને સેવા દ્વારા તેઓશ્રીએ આપણને ન્યાલ કર્યા.
સ્વલિખિત પુસ્તકો ભેટ આપવાની બાબતે પણ તેઓ જબરા ઉદાર. તેમનું કોઈ નવું પુસ્તક બહાર પડે તો મને તેની નકલ તરત મોકલી આપે. મારું પુસ્તક બહાર પડે તો સાદર તેમને મોકલી આપું. આમ પરસ્પર આદન-પ્રદાન-મૈત્રી-વ્યવહાર ચાલે.
તેઓ માત્ર એક વખત મારે ત્યાં આવેલા અને હું પણ માત્ર એક વખત તેમને ત્યાં ગયેલ. પરંતુ ટેલિફોન દ્વારા વાતો ચાલે. પ્રા.પ્રશાંત દવે જ્યારે વ.વિ.નગર (સરદાર પટેલ યુનિ.માં તત્ત્વજ્ઞાનનું અનુસ્નાતક કેન્દ્ર સંભાળતા ત્યારે શ્રી નગીનભાઈ તથા ભાઈ શ્રી પ્રશાંત અને ડૉ.મધુસૂદન બક્ષી જોડે અમદાવાદ થી વ.વિ.નગર ટેકસી પ્રવાસમાં સારો એવો સત્સંગ કરેલ. જયંતભટ્ટની “ન્યાય મંજરી પરનાં તેમનાં સંપાદિત પુસ્તકોનો મેં વિદ્યાર્થીઓને ભણાવતી વખતે સારો લાભ લીધેલો. આ બધામાં નિમિત્ત કારણ તો પ્રા. શાંત દવે જ. તેમનો મહાનિબંધ “Akalanka's Criticism of Dharmakirtis Philosophy' પુસ્તક રૂપે છપાયા બાદ ગુજ.યુનિ.ના તત્ત્વજ્ઞાનના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને ભણાવતી વખતે મને ખૂબ ઉપયોગી નીવડેલ. લા.દ.ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને તેમની સેવાનો સારો લાભ મળ્યો છે એમ કહી શકાય.
ભારતીય દર્શન પરનાં તેમનાં પુસ્તકો “ન્યાય-વૈશેષિક” તથા “સાંખ્ય-યોગ” એ ઉત્તમ વિદ્વાનની સાક્ષિ પૂરે છે. તેઓ આપણી વચ્ચે વધુ રહ્યા હોત તો બાકીના બે ગ્રંથો “પૂ.મીમાંસા અને ‘ઉ.મીમાંસા'ની ખોટ પૂરાઈ જાત અને આપણને ષડ્રદર્શન ગ્રંથમાળા પૂર્ણપણે મળી શકત પરંતુ ....હરિ ઇચ્છા બળવાનએમજ માનવું રહ્યું.....
इति अलम्