________________
204
SAMBODHI
પારુલ માંકડ अत्र च कारणसमवधान कार्यानुत्पतेर्बाध्यमिति बहवः । । वस्तुतस्तु कार्यानुत्पत्तिरेवास्मिन्नलङ्कारे बाध्या ॥ (रसगंगाधर, भाग ३, पृ.४५७)
જગન્નાથ જણાવે છે કે વિશેષોક્તિમાં કારણના સાન્નિધ્યનો કાર્યાનુત્પત્તિથી બાધ થાય છે એવો ઘણાનો મત છે, પરંતુ વાસ્તવમાં અહીં કારણના સાહચર્યથી કાર્યની અનુત્પત્તિનો બાધ થાય છે.
વિભાવનામાં જે ન્યાયનો આશ્રય લેવાયો હતો તે જ ન્યાયનો આશ્રય વિશેષોક્તિમાં પણ લેવાયો છે. સિદ્ધવસ્તુથી કાલ્પિત વસ્તુનો બાધ થાય – તદનુસાર અહીં કાર્યાભાવ કલ્પિત છે એટલે સિદ્ધ કારણોથી – તેના સભાવથી તેનો બાધ થાય છે.
પૂર રૂવ૦ અને સ્ત્રીનિ વગેરે પ્રાચીન પદ્યોમાં કામદેવના શરીરના નાશરૂપી કારણનો સદ્ભાવ પ્રમાણથી સિદ્ધ હોવાને લીધે તેનો બાધ થઈ શકે તેમ નથી, કારણ કે “કામદેવના શરીરનો નાશ થવા છતાં તેની શક્તિ અને બળનો નાશ શા માટે ન થયો' – આવા પ્રકારની પ્રતીતિ જ સર્વ લોકોને થાય છે, પરંતુ “મદનમાં શક્તિ તથા બળ હોવા છતાં તેના શરીરનો નાશ શી રીતે થયો' એવું કોઈને થતું નથી. આથી બળ હરણ ન થવારૂપ કાર્યાભાવ જ બાધ્ય બને છે."
ફૂટનોટ
૧. કારણ કે ઉદ્ભટ પરની તિલકની વિવૃત્તિ ટીકામાં જયરથે આપેલ ઉદ્ધરણ પ્રાપ્ત થતું નથી.
કુરુમ્ – 'कारणस्य निषेधेन बाध्यमानः फलोदयः । विभावनायामाभाति विरोधोऽन्योन्य बाधनम् ॥ अतो दुरविभेदोऽस्या विरोधेन व्यवस्थितः इति । (અલંકારસર્વસ્વ, સૂ.૪ર ઉપરની વિમર્શિની સંપાદક, દ્વિવેદી રેવાપ્રસાદ, આ.૧, ૧૯૭૩, પ્રકાશક, ચૌખંબા સંસ્કૃત સીરીઝ ઑફિસ, વારાણસી) प्रामाणिकत्वात् बलिना कारणाभावेन कार्यमेव बाध्यते, न तु कारणाभावः,.... । (સંજીવની, પૃ.૧૫૪, સંપાદક, એસ.એસ.જાનકી, ૧૯૬૫, પ્રકાશક, મેહરચન્દ્ર લક્ષ્મણદાસ, દિલ્હી) દ વ શરમાવસ્ય ક્ષમાવાપેક્ષત્વેન કાર્યોત્પત્તિર્વાધમ્.. (અલંકારરત્નાકર, પૃ.૯૩, સંપાદક, સી.ડી.દેવધર, આ.૧.પ્રકાશક, ઓરિયેન્ટલ બુક એજન્સી પુણે, ૧૯૪૨) किं चात्र कारणविरहेणापक्रान्तवात् कार्यमेव बाध्यत्वेन प्रतीतिगोचरी भवति । न पुनरनेन कारणविरह इत्यस्याः परस्पर बाधकत्वादनुप्राणितो विरोधः कथमिव विषायाःपहारमाचरित । (ાવની, ૮/રૂદ્દ ઉપરની) तत्र श्रुतेषोताधिकारः स्यादिति न्यायादश्च-प्रतिग्रहेष्टिन्यायादवानुपसंजात विरोधितयोपक्रमगतबलीयस्त्वेन कारणाभाव एव बाधकः कार्यमेव बाध्यं नान्यथा । (एकवली, ८/३६ परनी मल्लिनाथनी 'तरल' टीका)
૪.