________________
208 સુરેખા કે. પટેલ
SAMBODHI રસિક શિરોમણી રાજવી ઉપકાર કરતા રહેશે. આ કવિએ રચેલું કોઈ એક “વGિજાસત્તતિ નામનું દેવીસ્તવન પણ છે એમ સાંભળ્યું છે.
શ્રીનારાયણભટ્ટપાદકૃત કોટિવિરમ્' એ કુલ ૧૦૭ પઘોમાં છે. આ એક શતકકાવ્ય હોવા છતાં પ્રબંધ પ્રકારનું કાવ્ય છે. આ કાવ્યમાં બ્રાહ્મણ યુવાન સંગીતકેતુ અને બારલીલા નામની કન્યાના પ્રણયની કથા આલેખવામાં આવી છે. તેમના અનુરાગ અને વિરહની કથા સાથે નજીવા કારણસર મૃારલીલાનું માન અને તેના અનુનય માટે સંગીતકેતુનો પ્રયત્ન હોવા છતાં, અંતે રિસાયેલી મૃગારલીલાની વિરહની વિષમ સ્થિતિના નિવારણ અને આ પ્રેમીયુગલના મિલનની કથા હોવાથી આ કાવ્યને “ધદૂતમ્' ની માફક “ખંડકાવ્ય” ગણવું રહ્યું.
તે વિશ્વનાથને મતે કાવ્ય અથવા મહાકાવ્યનાં કેટલાંક લક્ષણોથી યુક્ત જે પદ્યપ્રબંધ છે તેને “ખંડકાવ્ય' કહે છે. (“સ્વાવ્ય માધ્યઐશાનુલારિ ” સાહિત્યર્પણમ્ ૩/૨૩૯)
આ કાવ્યની રચના કેરળના સદાશિવ શાસ્ત્રીએ “કોડિવિરમ્' નામે કરી હતી. ઉત્તર મલબાર (કેરળ)પ્રદેશમાં “જોડિ' શબ્દનો અર્થ “નૂતન એટલે કે નવું થતો હોઈ “ોટિવિરમ્ નો “તાજો વિરહ' એવો અર્થ થઈ શકે. શીર્ષક પરથી આ કાવ્યને વિરહકાવ્ય' કહી શકાય. “મેઘદૂતમ્' માં વિરહી યક્ષની કથા છે તો અહીં, એક વાર પ્રેમમાં પડેલા અને કોઈ એક મેળાના પ્રસંગે મનદુઃખ થતાં થયેલા વિરહની કથા છે.
“ોટિવિરમું શતકકાવ્યનો આરંભ મંગલથી થયેલો નથી, તેમજ કાવ્યને અંતે પણ કવિએ કોઈ મંગલ કરેલું જોવા મળતું નથી. વિરહના અંતે મિલનનું સૂચન અંતિમ પદ્યમાં કરવામાં આવ્યું છે.
વોટિવિરહ'ના આરંભનાં બે પઘોમાં નાયક સંગીતકેતુનું સૌંદર્ય, બુદ્ધિવૈભવ તેમજ તેની કલારસિકતાનું આલેખન છે. ત્રીજા અને ચોથા પદ્યમાં સુકુમારતાની સંકેતભૂમિ, સંગીતસાહિત્યની રાજહંસી અને સૌંદર્યમાં મૃગારલક્ષ્મી જેવી કે જેણે વધતી વય સાથે ચન્દ્રમાની કળાની માફક મુગ્ધાવસ્થાને પ્રાપ્ત કરી છે તેવી વૃક્ષારલીલાનું કવિએ વર્ણન કર્યું છે. તો પાંચમા પદ્યમાં શ્રદ્વારલીલાના નવયૌવનનું લાઘવપૂર્ણ આલેખન કવિએ કર્યું છે. છઠ્ઠી પદ્યમાં સંગીતકેતુ અને શૃંગારલીલાના પરસ્પર આકર્ષણ અને અનુરાગનું આલેખન છે.
| એક વારે શિવના મંદિરમાં થયેલી તેમની મુલાકાત શિવપાર્વતીને વંદન કરીને બહાર નીકળેલાં તે બંનેમાં ભારે ઉત્સુકતા હતી. સંગીતકેતુ રત્નવેદી ઉપર મિત્રો સાથે ગયો. (પદ્ય-૯) અને સખીઓ સાથે જૈનારલીલા પણ તે ઉત્સવ જોવા ગઈ. સંગીતકેતુને રત્નવેદી ઉપર જોતાં જ મૃારલીલા આકુળ-વ્યાકુળ બની જાય છે. (પદ્ય-૧૨) અને આ કોણ છે? તેવી જિજ્ઞાસા શ્રકારલીલાને જાગે છે. સંગીતકેતુ અને મૃગારલીલાના મિત્રોએ તે બંનેને સભાન બનાવ્યાં. દેવીના ઉત્સવ પ્રસંગે આ બંનેની મેળામાં થયેલી પ્રથમ મુલાકાતમાં તેઓ વચ્ચે બહુ જ થોડીક વાતચીત થઈ. (પદ્ય-૧૮) શ્રકારલીલા કોઈને કોઈ બહાને પાછા જવા માટે વિલંબ પણ કરતી હતી. જો કે “માનશાન્તનમ્ ના પ્રથમ અંકમાં શકુન્તલાએ દર્ભાકુર વાગવાની (શકુન્તના નાનમ વત્તોયન્તી વ્યાનું વિતત્ર્ય સદ સરઘીખ્યાં નિક્રાન્તા ) અને