________________ Vol. XXXVII, 2014 તોડમિલિટુવ:.. (યોગસૂત્ર 3.45) ઉપર થોડોક વિચાર 143 પ્રાચીન ટીકાકાર શ્રીધર સ્વામી મધાના શબ્દને સમજાવતાં કહે છે કે - સદવ પ્રધાન મુ: સ્વભાવત: કાશ્રયો યાસાં તા. અર્થાત્ હું જ પ્રધાન એટલે કે મુખ્ય છું (અને) સ્વભાવથી જ જેમનો આશ્રય છું, તે સિદ્ધિઓ મ...ધાના છે. આ ઉપરથી જણાય છે કે આ અષ્ટસિદ્ધિઓનું સ્વાભાવિક આશ્રયસ્થાન ભગવાન પોતે છે. 2. અણિમાં મહિમા મૂર્વેનંધિમાં એમ કહીને સ્પષ્ટરૂપે જ આ પ્રથમ ત્રણ સિદ્ધિઓને મૂર્તિની અર્થાત્ શરીરની છે, એમ કહ્યું છે.' 3. પ્રાપ્તિ એ ઇન્દ્રિયો સાથે તે તે અધિષ્ઠાતૃદેવતાનો સંબંધ થવો તે છે. 4. એ પછી પ્રાકાશ્ય નામની સિદ્ધિ માટે કહ્યું છે કે તે શ્રુત અને દષ્ટના સંદર્ભે જોવાની છે.” 5. તે ઈશ્વરમાં માયાની અને અન્યોમાં તેમના અંશોની પ્રેરણા થવી તે ઇશિતા નામની સિદ્ધિ છે. 6. જ્યારે વશિતા એ વિષયભોગોમાં સંગ ન રહેવો, તેવા પ્રકારની સિદ્ધિ છે. 7. જેની જેની કામનાવાળો માણસ જે જે સુખની કામના કરે છે, તે તે સુખાદિની સીમાને પ્રાપ્ત કરી લે છે, એ પ્રકારની સિદ્ધિ તે યત્રકામાવસાયિત્વ છે. 10 આમ આ ઉપર્યુક્ત આઠ સિદ્ધિઓ અને તેમના સ્વરૂપ બાબતે ભાગવતકારે સ્વયં થોડી સ્પષ્ટતા કરી છે. - પેલી બાજુ વ્યાસભાષ્યમાં આ સિદ્ધિઓનું જ સ્વરૂપ બતાવ્યું છે, તે આ પ્રમાણે છે - તત્રામાં भवत्यणुः, लघिमा लघुर्भवति, महिमा महान् भवति, प्राप्तिरङ्गुल्यग्रेणापि स्पृशति चन्द्रमसम्, प्राकाम्यमिच्छानभिघातो भूमावुन्मज्जति निमज्जति यथोदके, वशित्वं भूतभौतिकेषु वशी भवति अवश्यश्चान्येषाम्, ईशितृत्वम् तेषां प्रभवाप्ययव्यूहानामीष्टे / यत्रकामावसायित्वं सत्यसङ्कल्पता यथा सङ्कल्पस्तथा भूतप्रकृतीनामवस्थानम् / અહીં વ્યાસે અણિમા આદિને તેમના શબ્દાર્થ પ્રમાણે અણુત્વની, લઘુત્વની અને મહત્ત્વની પ્રાપ્તિ તરીકે સમજાવી છે. જ્યારે પ્રાપ્તિનો આશય આંગળીના અગ્રભાગથી (પૃથ્વી ઉપર ઊભેલો યોગી) ચન્દ્રને સ્પર્શી શકે છે, એ રીતનો આપ્યો છે. ત્યાર બાદ પ્રાકામ્ય નામે પાંચમી સિદ્ધિનો ઉલ્લેખ કર્યો છે (ભાગવતમાં આને પ્રાકાશ્ય તરીકે મૂકી છે) અને તેનો આશય - ઇચ્છાનો અનભિઘાત એટલે કે યોગીના મનમાં ઉઠતી ઇચ્છા કોઈ જાતની બાધા વગર પૂરી થઈ શકે છે, એવો છે. જેમકે જો યોગી ઇચ્છા કરે તો તે ભૂમિમાં ઉતરી શકે છે, પાણીમાં ઉતરતો હોય એમ. ભૂત અને ભૌતિક પદાર્થોને વિષે યોગી વશી (બધું વશમાં કરનાર) બની રહે છે અને પોતે બીજાઓથી અવશ્ય અર્થાત્ વશમાં ન આવી શકે, તેવો બની રહે છે. આ પ્રકારની સિદ્ધિ તે વશિત્વ છે. ઉત્પત્તિ અને વિનાશ ઉપર ઇચ્છાનુસાર પ્રભાવ પાડવારૂપ જે સિદ્ધિ છે, તેને અહીં ઈશિત્વ તરીકે ઓળખાવી છે. એ પછી યોગી જે સત્યસંકલ્પ કરે છે, એ તે પ્રમાણે ભૂતપ્રકૃતિની સ્થિતિ બની રહે છે, તે યત્રકામાવસાયિત્વ નામક સિદ્ધિ છે. આમ અહીં વ્યાસે