________________ સત્રિય લોકનાટ્ય ભીમજી ખાચરિયા લઘુસાર ભારતીય શાસ્ત્રીય અને લોકનૃત્ય વિષયક સંશોધનમાં સત્રિય લોકનાટ્ય વિષયક આ સંશોધન લેખમાં ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્રના સિદ્ધાંતો, રામાયણ, મહાભારત, સંસ્કૃત મહાકાવ્યો વગેરેને ધ્યાનમાં રાખી ભારતીય લોકનૃત્યની મીમાંસા અને ભારતનાં પૂર્વોત્તર રાજયમાં થતાં લોકનૃત્ય સત્રિય અંગે અહીં સંશોધન કરી આ નૃત્યને વિશેષ રીતે અહીં મુકવાનો આ સંશોધન લેખમાં પ્રયત્ન કરેલ છે. લોકનાટ્યની વ્યાખ્યા, આસામ પ્રદેશ, એ પ્રદેશના સમાજ સુધારક શ્રીમંત શંકરદેવ, વૈષ્ણવ મઠ અને કૃષ્ણભક્તિ, કૃષ્ણની લીલાઓનાં વિવિધ વર્ણનો વગેરેને પણ અહીં ચર્ચામાં લીધેલ છે. લોકનાટ્ય સત્રિયની કલાપક્ષ અને ભાવપક્ષની ચર્ચા, સત્રિયની ભજવણી કે અભિનય માટેના સ્થળ, ગીત, સંગીત, આહાર્ય વગેરેની પણ અહીં ચર્ચા કરી છે. વર્તમાન સમયે ભજવાતાં સત્રિય લોકનાટ્યોમાં થયેલા ફેરફારો વર્તમાન લોકજીવનની સમસ્યા, આધુનિકતા, લોકકલા અને સંસ્કૃતિનિષ્ઠાને પણ અહીં આ સંશોધન લેખમાં ચર્ચાને જરૂરી વિગતો આપવાનો પ્રયત્ન કરેલ છે. ભારતીય લોકનૃત્યો અને લોકનાટ્યોમાં વિસરાતા લોકનાટ્યો પૈકી પ્રમુખ સત્રિય લોકનાટ્યની અહીં વિગતે ચર્ચા કરવાનો પ્રયત્ન કરેલ છે. Key word = ચાવીરૂપ શબ્દ ભરતમુનિ - સંસ્કૃત નાટ્યશાસ્ત્રના પ્રણેતા લોકનાટ્ય - ગીત, સંગીત, સંવાદ અને અભિનયથી રજૂ થતું નાટક લોકનૃત્ય - ભારતીય લોકનૃત્યની પ્રસિદ્ધ લોકધર્મી શૈલી, ગ્રામ્ય નૃત્યો શ્રીમંત શંકરદેવ - આસામના પ્રસિદ્ધ વૈષ્ણવ આચાર્ય ઇ.સ.૧૪૪૯ થી 1568 ગીત/સંગીત - ભારતીય લોકગીત અને લોકસંગીત આહાર્ય - ભારતીય અભિનયકળા સાથે જોડાયેલ વેશભૂષા અને અન્ય પદાર્થ