________________
Vol. XXXVI, 2014 વર્ધમાન : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર 165
સમ્મતાકાર અને ક્ષીરસ્વામી તૌદાદિક રૂપુ રૂછાયકૂનું ગ્રહણ કરે છે. “ક્ષી.ત.” (પૃ.૨૮૭)માં સૂત્રમાં તીપુસદ એમ સૂત્રનો પાઠ કરીને, તૌદાદિક રૂપુનું ગ્રહણ દર્શાવ્યું છે.
આ સૂત્ર પરની કાશિકામાં પણ સ્પષ્ટ કહ્યું છે કે રૂપુ રૂછીયામ-રૂત્યારે વિકલ્પ રૂષ્યતે | તેથી તૌદાદિક રૂપ ને જ વિકલ્પ ઈડાગમ થાય છે. જેમકે પણ, પિતા, જ્યારે દૈવાદિક અને
યાદિકનો નિત્ય ઇંડાગમ થાય છે, જેમકે પ્રેષિતા, પિતુમ્ અને પિતા. સાયણે નોંધ્યા પ્રમાણે બીજા કેટલાક વૈયાકરણો પણ તીખુદ. એમ સૂત્રનો ઉદિત પાઠ કરી, માત્ર તૌદાદિક રૂપુને જ આ સૂત્ર લાગુ પાડે છે. કેટલાક અન્ય વૈયાકરણો સૂત્રમાં ઉદિત પાઠ કર્યા વગર સહનવ્વાદિ) ધાતુના સાહચર્યને લીધે, સૂત્રમાં તૌદાદિક ધાતુનું જ ગ્રહણ માને છે, કારણકે બંનેના વિકરણ પ્રત્યય (ક) એક છે. આમ ઉપર્યુક્ત વૈયાકરણો સૂત્રમાં દૈવાદિક અને યાદિક રૂપનું ગ્રહણ કરતા નથી.
સાયણે નોંધ્યા પ્રમાણે કાશ્યપ નામના એક વૈયાકરણ, આ સૂત્ર (તીષદ:) પરના વાર્તિક તારે શ્યનૃત્યયાતિ પ્રતિષેધ: I ના આધારે દૈવાદિક સિવાય, તૌદાદિક અને ક્યાદિક બંને રૂપનું ગ્રહણ સૂત્રમાં માને છે અને ક્રિયાદિક રૂમાં રૂષિત: રૂ જેવાં વિકલ્પ ઈડાગમવાળાં રૂપ આપે છે. ' હરદત્ત પણ આ સૂત્ર પરની “પદ મં.'માં આમ તો માત્ર તૌદાદિક રૂપનું ગ્રહણ માને છે, પણ પછી કહે છે કે જો વાર્તિકને પ્રમાણભૂત માનીએ તો તેમાં દૈવાદિકનો જ નિષેધ કર્યો છે, તેથી જ્યાદિક રૂપનો પણ સૂત્રમાં સમાવેશ થાય. મૈયટે પણ મહાભાષ્ય પરની “પ્રદીપ' ટીકામાં પણ એમ જ કહ્યું છે.
આમ વર્ધમાન, સમ્મતાકાર, ક્ષીરસ્વામી વગેરે ટીકાકારો આ સૂત્રમાં માત્ર તૌદાદિક રૂપનું ગ્રહણ માની, તેને વિકલ્પ ઈડાગમ થાય તેમ માને છે, જયારે કાશ્યપ, હરદત્ત વગેરે તૌદાદિક ઉપરાંત ક્રમાદિક રૂપનું વાર્તિકને આધારે આ સૂત્રમાં ગ્રહણ માને છે. આ બધા વૈયાકરણો,
દૈવાદિક રૂપનું પ્રસ્તુત સૂત્રમાં ગ્રહણ ન માની શકાય, તે બાબતમાં એકમત છે. ' ઉપસંહાર
માધવીયા ધાતુવૃત્તિમાં, આ અપ્રસિદ્ધ વૈયાકરણ વર્ધમાનના જે મતોનો, સાયણે ઉલ્લેખ કર્યો છે, તે ભલે સાયણે નોંધેલા આત્રેય, કાશ્યપ અને ધનપાલ વગેરેના મત કરતાં ઓછા છે, પણ વર્ધમાનના આ મતોનું મહત્ત્વ જરાયે ઓછું નથી.
વર્ધમાનના ઉપર્યુક્ત મતોનો અભ્યાસ કરતાં એક બાબત સ્પષ્ટ થાય છે કે એમણે પાણિનીય વ્યાકરણશાસ્ત્રનો, ખાસ કરીને ધાતુપાઠનો ઊંડો અભ્યાસ કર્યો છે, જેને લીધે તે ધાતુઓને લગતી કેટલીક મહત્ત્વની બાબતો-જેમકે ધાતુપાઠના સૂત્રોમાં મળતા ધાતુઓના પાઠ, ક્યા ધાતુને ક્યારે ગુણ કે વૃદ્ધિ થાય, અમુક ધાતુને સેટ ગણવો કે અનિ, અમુક ધાતુને પરસ્મપદ ગણવો કે આત્મપદી ગણવો, સૂત્રોમાં નિર્દિષ્ટ ધાતુ કયા ગણનો છે, ધાતુઓનાં રૂપોને લાગુ પડતી પ્રક્રિયાઓ વગેરે – વિશે તેમણે પોતાનો સ્વતંત્ર અભિપ્રાય દર્શાવ્યો છે.