________________
142
કમલેશકુમાર છે. ચોકસી
SAMBODHI
બળ, વજ સંહનનત્વ અર્થાત્ શરીરની અત્યન્ત દઢતા - આ કાયસંપતું એટલે કે શરીરની સંપત્તિ છે. આમ સૂત્રકારે આ રીતે પ્રસ્તુત સૂત્રમાં આવતા કાયસંપર્ પદથી તેમને જે ઇષ્ટ છે, તે ઇષ્ટ અર્થની સમજ આપી દીધી છે.
એ પછી આ સૂત્રમાં તદ્ધનબાત: ૨ - એમ કહ્યું છે, તેનો અર્થ સૂત્રકારે સ્પષ્ટ કર્યો નથી. તેથી તેના અર્થની જાણકારી પણ વ્યાસભાષ્યથી કરવાની રહે છે. વ્યાસભાષ્યમાં જણાવ્યું છે કે તમનમધતિ: च पृथ्वी मूर्त्या न निरुणद्धिः योगिनः शरीरादिक्रियाम्, शिलामप्यनुविशतीति, नाऽऽप: स्निग्धाः क्लेदयन्ति, नाग्निरुष्णो दहति, न वायुः प्रणामी वहति, अनावरणात्मकेऽप्याकाशे भवत्यावृतकायः सिद्धानामप्यदृश्यो મતિ – અર્થાત્ તે ભૂતોના ધર્મો દ્વારા (ભૂતજયી યોગીને) બાધા થતી નથી. તેના પરિણામે) પૃથ્વી પોતાના કઠિનત્વ ધર્મ દ્વારા યોગીની શારીરિક ક્રિયાને રોકતી નથી. (તેથી યોગી) શિલા-પથ્થરમાં પણ અનુપ્રવેશ કરી શકે છે. સ્નેહ ગુણયુક્ત પાણી તે યોગીને પલાડી શકતું નથી. ઉષ્ણતા ધર્મ ધરાવતો અગ્નિ યોગીને બાળતો નથી. વહનશીલ વાયુ તે યોગીને વહાવી શકતો નથી. અનાવરણરૂપી આકાશમાં પણ યોગી ગુમ શરીર વાળો રહે છે અને સિદ્ધજનો માટે પણ તે અદશ્ય થાય છે.
આ રીતે જોતાં અહીં બે બાબતો વિચારણીય છે. ૧. અણિમાદિ શબ્દથી જે આઠ સિદ્ધિઓ ગણાવવામાં આવી છે, તેનો આધાર શો છે? અર્થાત્ અણિમાદિ એવા શબ્દપ્રયોગ દ્વારા સૂત્રકારને આ જ આઠ સિદ્ધિઓ ગ્રાહ્ય રહી છે, તેવું કયા આધારે કહી શકાય? અને ૨. તનમિયાતિનો ભાષ્યકારે જે અર્થ કરી બતાવ્યો છે, તે જ અર્થ સૂત્રકારને અભિપ્રેત હશે, એમ કેવી રીતે કહી શકાય ? આ અર્થઘટનનો આધાર પણ વિચારણીય બને છે.
પ્રથમ બાબત વિચારતાં જણાય છે કે જો વ્યાસભાષ્યના રચયિતા અને શ્રીમદ્ભાગવતપુરાણના રચયિતા બન્ને એક જ વ્યાસ હોય, તો શ્રીમદ્ભાગવતપુરાણના આધારે અહીં અણિમાદિ શબ્દથી આઠ સિદ્ધિઓનું ગ્રહણ કરવામાં આવ્યું છે, એમ માનવું પડે. શ્રીમદ્ભાગવતના અગિયારમા સ્કંધના પંદરમાં અધ્યાયમાં ઉદ્ધવ અને ભગવાનના સંવાદમાં જણાવ્યું છે કે –
सिद्धयोऽष्टादश प्रोक्ता धारणायोगपारगैः । तासामष्टौ मत्प्रधाना दशैव गुणहेतवः ॥ ३ ॥ अणिमा महिमा मूर्तेर्लघिमा प्राप्तिरिन्द्रियैः । प्राकाश्यं श्रुतदृष्टेषु शक्तिप्रेरणमीशिता ॥ ४ ॥ गुणेष्वसंगो वशिता यत्कामस्तदवस्यति । एता मे सिद्धयः सौम्य अष्टावौत्पतिका मताः ॥ ५ ॥
અર્થાત્ ધારણાયોગમાં પાર ઉતરેલા વિદ્વાનોએ અઢાર સિદ્ધિઓ કહી છે. તેમાં આઠ સિદ્ધિઓ મત્રધાન એટલે કે મારું પ્રાધાન્ય રાખનારી છે, જ્યારે બાકીની દશ ગુણહેતુ છે. વગેરે.
આમ અહીં ભાગવતપુરાણમાં સંગૃહીત આ સિદ્ધિઓમાં તેમના નામનો નિર્દેશ તો છે જ, સાથે સાથે તેમની સ્વરૂપગત વિલક્ષણતાનો પણ થોડો થોડો નિર્દેશ કરવામાં આવ્યો છે. જેમકે –
૧. અઢાર સિદ્ધિઓમાંથી પ્રથમ આઠ સિદ્ધિઓને મ...ધાના કહેવામાં આવી છે. ભાગવતના