________________
120 મધુસૂદન બક્ષી
SAMBODHI અને શક્તિનું જ્ઞાન થતાં તેમજ તે વિશે રજતની ભ્રાન્તિ દૂર થતાં શક્તિને આ સંદર્ભમાં જાણનારનો તરત જ મોક્ષ થઈ જાય, કારણ કે, અવિદ્યા એક જ છે અને શુક્તિ-રજતવિષયક ભ્રાન્તિનો બાધ થતાં ત્યાં તે દૂર થઈ જાય છે. આમ, કાં તો અતીઓએ માનવું પડે કોઈ વિશિષ્ટ ભ્રાન્તિ દૂર થતાં તેનો અનુભવ કર્તા તરત જ મોક્ષ પામે છે અથવા તો પછી તેવી ભ્રાન્તિમાં બાધ જ થાય નહીં તેવું સ્વીકારી લેવું પડે. બંને વિકલ્પો અદ્વૈતમને માન્ય ન થાય.
આ સંદર્ભમાં શાંકરવેદાન્તપણે એવી દલીલ થઈ છે કે શુક્તિ ઉપર આરોપિત રજતની ભ્રાન્તિ દૂર થાય ત્યારે ખરેખર તો શુક્તિથી અવચ્છિન્ન (limited) ચૈતન્યનું આવરણ કરવાની શક્તિથી વિશિષ્ટ એવી જ અવિદ્યા દૂર થાય, પરન્તુ નિરવચ્છિન્ન ચૈતન્યનું આવરણ કરતી અવિદ્યા તો ત્યાં દૂર થતી નથી. તેથી અમુક ભ્રાન્તિ દૂર થાય તો પણ, બધા પ્રકારની અવિદ્યા દૂર થતી નથી અને તેથી, અમુક બ્રાન્તિ દૂર થતાં, ભ્રાન્તરજતને સ્થાને શક્તિને અનુભવનાર વ્યક્તિનો તરત જ મોક્ષ થઈ જશે તેવું નથી.
મૂળ-અજ્ઞાન (મૂલાજ્ઞાન), તુલાજ્ઞાન અને અવસ્થા-અજ્ઞાન એ ભેદો આ સંદર્ભમાં જ સ્પષ્ટ કરવામાં આવ્યા છે.
શુદ્ધ બ્રહ્મનું આવરણ કરનાર અજ્ઞાન મૂલાજ્ઞાન છે. તે અવિદ્યા છે, તેથી તેનામાં આવરણની અને વિક્ષેપની શક્તિ હોય છે. કેવળ બ્રહ્મજ્ઞાનથી જ મૂલાજ્ઞાનનો નાશ થાય છે.
તુલાજ્ઞાન પણ આવરણની અને વિક્ષેપની શક્તિ ધરાવનાર અજ્ઞાન છે. જો કે, તુલાજ્ઞાન મૂલાજ્ઞાન સાથે કોઈ તાદાભ્ય ધરાવતું નથી.
મૂલાજ્ઞાન દૂર થતાં બ્રહ્મજ્ઞાનનિવર્ચસ્વરૂપ મિથ્યાત્વ દૂર થાય છે. તુલાજ્ઞાન બ્રહ્મજ્ઞાન સિવાયનાં જ્ઞાનથી નાશ પામે છે.
અવસ્થા-અજ્ઞાન એટલે આવરણની અને વિક્ષેપની શક્તિ ધરાવતું એવું અજ્ઞાન કે જે મૂલાજ્ઞાન સાથે તાદાત્ય ધરાવે છે અને આવું અવસ્થા-અજ્ઞાન બ્રહ્મજ્ઞાન સિવાયનાં જ્ઞાનથી નાશ પામે છે. આમ મૂળ અજ્ઞાન કેવળ બ્રહ્મજ્ઞાનથી જ નાશ પામે છે. બાકીનાં અજ્ઞાનો બ્રહ્મજ્ઞાન સિવાયનાં જ્ઞાનથી નાશ પામે છે. એટલે તે નાશ પામે તો પણ, બ્રહ્મજ્ઞાન ન થાય ત્યાં સુધી મૂળ-અજ્ઞાન તો રહે જ છે. શુક્તિજ્ઞાન થાય ત્યારે રજતાદિ અધ્યાસનાં ઉપાદાનરૂપ અવસ્થા-અજ્ઞાનની જ નિવૃત્તિ થાય છે. ૨જતાદિ અધ્યાસ અવસ્થાઅજ્ઞાનથી ઉદ્ભવે છે, જયારે પ્રપંચાધ્યાસનું કારણ તો મૂલાવિદ્યા જ છે. બ્રહ્મસાક્ષાત્કાર થતાં જ પ્રપંચાધ્યાસની સાથે મૂલાવિદ્યાની પણ નિવૃત્તિ થાય છે. અજ્ઞાન અને અધ્યાસ બંનેની નિવૃત્તિ માનવી પડે છે. મૂલાજ્ઞાન શુદ્ધ ચૈતન્યનું આવરણ કરે છે, પણ અવસ્થા-અજ્ઞાન શુક્તિ આદિથી અવચ્છિન્ન ચૈતન્યનું આવરક અજ્ઞાન છે. બન્ને અનાદિ છે. તેથી શુક્તિજ્ઞાન થતાં મોક્ષ થશે એ આપત્તિ આવતી જ નથી. (શાહ: ૪૩-૪૬). શુક્તિજ્ઞાન થતાં તે અંગેના અધ્યાસની તેમજ તે વિશેનાં અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. આમ અજ્ઞાનનું એકત્વ માનીને તેના વિવિધ આકારો માનવાથી પ્રશ્ન ઉકેલાય છે.
અવિદ્યાના જુદા જુદા આકારોને માનીને પૂર્વપક્ષે રજૂ કરેલી આપત્તિઓનું શાંકરવેદાન્તમાં સમાધાન કરવામાં આવે છે.