Book Title: Sambodhi 2014 Vol 37
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 134
________________ 126 મધુસૂદન બક્ષી SAMBODHI બાધાર્થનિષેધવાદનો તેમજ જગતસત્યત્વવાદનો અસ્વીકાર કરવા માટે આવા ભેદો શાંકરવેદાન્ત માટે અનિવાર્ય થઈ પડે છે. તેથી પ્રતિકર્મવ્યવસ્થા મુજબ પ્રમાવૃત્તિરૂપ જ્ઞાનનો સ્વીકાર કરવામાં આવે છે. પ્રતિકર્મવ્યવસ્થાવિષયક પ્રકરણનાં અન્ને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વિષયાધિષ્ઠાનભૂત પ્રમેયચૈતન્ય વિષયને પ્રકાશિત કરે છે. અન્તઃકરણથી અવિચ્છત્ર ચૈતન્ય જ પ્રમાતા (knower) છે. અન્તઃકરણવૃત્તિથી અવચ્છિન્નચૈતન્ય તે પ્રમાણ છે. પ્રત્યક્ષજ્ઞાન ત્યારે જ થાય કે જયારે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો દ્વારા અન્તઃકરણવૃત્તિ વિષયને પહોંચે, તેને વ્યાપે અને તેનો આકાર ધારણ કરે - તે વિષયાકારે પરિણમે. પ્રત્યક્ષપ્રમામાં પ્રમાતૃચૈતન્ય, પ્રમાણચૈતન્ય અને પ્રમેયચૈતન્ય એકાકાર થઈ જાય છે. કેવળ પ્રમાતૃચૈતન્ય અને પ્રમાણચૈતન્ય જ જયાં એકાકાર થાય ત્યાં પરોક્ષજ્ઞાન થાય છે, જેમાં પ્રમાતૃગત અજ્ઞાન જ દૂર થાય છે. અજ્ઞાત સત્તા ધરાવતા વ્યાવહારિક જગતના પદાર્થોનો પ્રત્યક્ષ તેમજ પરોક્ષ જ્ઞાનની શક્યતા પ્રતિકર્મવ્યવસ્થાથી અમારૂપ અન્તઃકરણવૃત્તિ સ્વીકારીને ઘટાવી શકાય છે. પારમાર્થિક દૃષ્ટિએ જગતને મિથ્યા માનવા છતાં અજ્ઞાત સત્તા ન ધરાવતા પ્રતિભાસિક પદાર્થો અને તેવી સત્તા ધરાવતા વ્યાવહારિક પદાર્થોનો ભેદ પ્રતિકર્મવ્યવસ્થા વિચારથી સુરક્ષિત કરવાનો અદ્વૈતમતે પ્રયાસ થયો છે. પ્રતિકર્મવ્યવસ્થાના વિચાર સાથે અવિદ્યાવૃત્તિ અને અન્ત:કરણવૃત્તિ વિશે વિચારીએ તો જ્ઞાન અને અજ્ઞાન વિશે, કે પ્રમા અને અપ્રમા વિશે, નીચે મુજબ રજુઆતો કરી શકાય છે : (1) અજ્ઞાતવિષયક જ્ઞાન જ પ્રમા છે. (2) જ્ઞાન હંમેશાં અજ્ઞાનનું નિવર્તક જ હોય છે. (3) “જે જ્ઞાન અજ્ઞાનનિવર્તક નથી, અજ્ઞાનવિરોધી નથી અને અજ્ઞાતાર્થવિષયક નથી તે પ્રમા નથી” (શાહઃ પૃ.૩૩) (4) અજ્ઞાનનિવર્તક અન્તઃકરણવૃત્તિ એ જ જ્ઞાન છે (શાહ: પૃ.૨૭). કોઈ પણ સ્થળે અવિદ્યાવૃત્તિ અજ્ઞાનનો નાશ કરતી નથી. (5) ભાવરૂપ અજ્ઞાન પણ અન્તઃકરણવૃત્તિ દ્વારા જ નિવર્તનીય છે; તે સાક્ષિજ્ઞાનથી નિવર્તનીય નથી, પણ છતાં તે સાવેિદ્ય જ છે. (6) અવિદ્યા પ્રમાજ્ઞાનનિવાર્ય છે અને તેથી મિથ્યા છે. (7) પ્રમાણથી જન્ય અન્તઃકરણવૃત્તિ પોતે જ જ્ઞાન નથી, પણ તેના દ્વારા અભિવ્યક્ત થતું. ચૈતન્ય જ જ્ઞાન છે. (શાહ: પૃ.૨) (8) પ્રતિભાસિક અને વ્યાવહારિક વસ્તુ બન્ને કલ્પિત છે, પણ વ્યાવહારિક વસ્તુની અજ્ઞાત સત્તા હોય છે, તેથી વ્યાવહારિક વસ્તુ દોષજન્યજ્ઞાનમાત્રશરીર નથી, એટલે કે તે પ્રતિભાસકાલમાત્રસ્થાયી નથી. ગુક્તિ-રજતાદિ પ્રાતિભાસિક વસ્તુ વિશે કોઈ પ્રમાણરૂપ અન્તઃકરણવૃત્તિ હોઈ શકે જ નહીં,

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230