________________
127
Vol. XXXVI, 2014 નગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચાર કારણ કે, તે વસ્તુ સાહિસિદ્ધ છે, અમિત નથી. તેથી સાલિભાસ્ય સુખ કે દુઃખ અને શુક્તિરજતાદિ કેવળ પ્રતિભાસકાલ માત્ર સ્થાયી જ છે (પ્રતિભાસમાત્રશરીરરૂપ છે) (શાહ: પૃ.૧૫) કોઈ પણ સાક્ષિભાસ્ય વસ્તુ અજ્ઞાત હોઈ શકે જ નહીં. અવિદ્યાવૃત્તિ એ જ્ઞાનાભાસ જ છે, કારણ કે, તે અજ્ઞાનનિવર્તક નથી જ. (જ્ઞાન = અજ્ઞાનનિવર્તક અન્તઃકરણવૃત્તિ) અન્તઃકરણવૃત્તિ અજ્ઞાતવિષયક છે, તેમજ અજ્ઞાનનિવર્તિક પણ છે. તેથી જ તે, પ્રમાવૃત્તિ છે. (શાહ: પૃ.૨૬-૨૮)
ટૂંકમાં, અન્તઃકરણવૃત્તિ અને અવિદ્યાવૃત્તિનો ભેદ પાડ્યા વગર પ્રાતિભાસિક અને વ્યાવહારિક વસ્તુનો ભેદ સ્પષ્ટ કરી શકાતો નથી અને પ્રતિકર્મવ્યવસ્થાને આધારે સ્વતંત્ર વ્યાવહારિક અજ્ઞાત વસ્તુઓ અન્તઃકરણવૃત્તિથી કઈ કઈ રીતે ગ્રાહ્ય બને છે તેનો ખુલાસો કરવામાં આવ્યો છે. જો કે, વ્યાવહારિક વસ્તુનું મિથ્યાત્વ દર્શાવવાને માટે તેને બ્રહ્મજ્ઞાનનાશ્ય તરીકે ઘટાવવી પડે છે. એક બાજુ, મિથ્યાત્વનો વિચાર અભાવવિલક્ષણત્વને રૂપે તુચ્છત્વથી જુદો પાડવો પડે છે, તો બીજી બાજુ, પ્રતીત થતી મિથ્યા વસ્તુઓમાંથી કેટલીકને પ્રતિભાસિક તો વળી કેટલીકને વ્યાવહારિક માનવી પડે છે. શાંકરવેદાન્તમાં રસપ્રદ બાબત એ છે કે કેટલાક ભેદો પાડ્યા વગર તેને ચાલે નહીં અને અત્તે તેને રદ કર્યા વગર પણ ચાલે નહીં. દા.ત., ભ્રાન્તિ અને યથાર્થ જ્ઞાન(પ્રમા)નો ભેદ પાડવો પડે છે, પણ શાંકરવેદાન્તમાં અત્તે તેને રદ કરવો જ પડે છે. શુક્તિના યથાર્થ જ્ઞાનથી તેમાં પ્રતીત થતા રજત અંગેની બ્રાન્તિ જરૂર દૂર થાય છે, પરન્તુ શાંકરવેદાન્તની વિશિષ્ટતા એ છે કે, શુક્તિ પોતે, જ્ઞાતાથી સ્વતંત્ર અને પ્રમાણગ્રાહ્ય હોવા છતાં, અત્તે તો મિથ્યા જ છે કારણ કે, બીજા તેવા તમામ અજ્ઞાત સત્તા ધરાવતા પદાર્થોની જેમ તે પણ બ્રહ્મજ્ઞાનનાશ્ય છે.
આ મુદ્દો નગીન શાહની એક રસપ્રદ રજૂઆતથી સ્પષ્ટ કરીએ :
“શુદ્ધ ચૈતન્યમાં અભેદદ્વારા અધ્યસ્ત શુક્તિ તો અવિદ્યાની ચૈતન્યનિષ્ઠ વિષયતાની અવચ્છેદક માત્ર બની શકે. ચૈતન્ય અનાદિ છે તે અનાદિ ચૈતન્યની આશ્રિત અને અનાદિ ચૈતન્યની આવક અવિદ્યા પણ અનાદિ જ છે. પરવર્તીકાળે શુક્તિ ઉત્પન્ન થતાં નિરવચ્છિન્ન ચૈતન્યની આવરક અવિદ્યા શુન્યવચ્છિન્ન ચૈતન્યની આવક પ્રતીત થાય છે.” (શાહ: પૃ.૪)
આમ, પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ પ્રમાણથી ગ્રાહ્ય થતી વસ્તુઓ પણ અત્તે તો બ્રહ્મમાં જ અધ્યસ્ત છે અને તેથી, તે તમામ બ્રહ્મજ્ઞાનનાશ્ય જ છે – તેથી જ, તે મિથ્યા છે.
બધું જ શુદ્ધ ચૈતન્યમાં અધ્યસ્ત છે. શા માટે અને કઈ રીતે આ બધું અધ્યસ્ત છે તે પ્રશ્નોને અહીં નિરર્થક ગણવામાં આવ્યા છે. (૭) ઉપસંહાર
શાંકરવેદાન્તમાં અવિદ્યાનિરૂપણ અંગેના નગીન શાહના ગ્રંથના આધારે એટલું તો સ્પષ્ટ છે કે, બ્રહ્મના વિચાર કરતાં પણ અવિદ્યાનો વિચાર ખૂબ જ મુશ્કેલ અને જટિલ બની ગયો છે. અનેક જાતના ભેદો સ્થાપ્યા વગર અદ્વૈત વેદાન્ત (શાંકરવેદાન્ત) સ્થાપી શકાતું નથી. આવા કેટલાક ભેદો નીચે પ્રમાણે છે: