________________ 123 Vol. XXXVII, 2014 નગીન શાહ પ્રમાણે શાંકરવેદાન્તમાં અવિદ્યાવિચાર જ્ઞાનભાવ તો સાક્ષાત્ સાક્ષિવેદ્ય નથી જ. અનુપલબ્ધિ નામનાં સ્વતન્ત્ર પ્રમાણથી તેને જાણી શકાય છે. પણ ભાવરૂપ અજ્ઞાન તો સાક્ષિવેદ્ય જ છે (પૃ.૭૦). સાક્ષી તો અજ્ઞાનનો સાધક છે (પૃ.૫૦). પટની ઉત્પત્તિ પહેલાં તખ્તમાં તેનો જે અભાવ છે અને ઘટની ઉત્પત્તિ પહેલાં કપાલમાં ઘટનો જે અભાવ છે તેને પ્રાગભાવ કહેવાય છે. આવો પ્રાગભાવ માનો તો ભાવરૂપ અજ્ઞાનની સિદ્ધિ જ ન થાય. તેથી જ શાંકરવેદાન્તપક્ષે પ્રાગભાવનું ખંડન કરવામાં આવ્યું છે (શાહ: પ્રકરણ-૪). પ્રાગભાવ પ્રમાશાનના અભાવરૂપ અજ્ઞાન છે એમ સ્વીકારી શકાય નહીં. જો અજ્ઞાન અભાવરૂપ હોય તો તો અજ્ઞાનની આવરકતા ઘટે જ નહીં. અજ્ઞાનને અભાવરૂપે સમજવાને બદલે અભાવવિલક્ષણરૂપે સમજવું જરૂરી છે. (શાહ : પૃ.૧૦૪) એ અર્થમાં જ તે ભાવરૂપ છે. જ્ઞાનાભાવવાદી મધ્વપક્ષ અને ભાવરૂપ અજ્ઞાનવાદી શાંકરવેદાન્તપક્ષનો વિવાદ સમજવા માટે કેટલીક પરિભાષા સ્પષ્ટ રીતે સમજવી પડે છે. દા.ત. “ભૂતલે ઘટાભાવ છે તે સમજીએ : અનુયોગી : જ્યાં અભાવ હોય તેને અભાવનો અનુયોગી કહેવાય. ભૂતળ અહીં અનુયોગી છે. પ્રતિયોગી : જેનો અભાવ હોય તે પ્રતિયોગી, જેમ કે ભૂતળે ઘટાભાવ હોય તો ઘટાભાવમાં ઘટ એ પ્રતિયોગી (counterpositive) છે. uldullidi (counterpositiveness) : ઘટાભાવ ઘટની પ્રતિયોગિતાવાળો અભાવ છે, એટલે પ્રતિયોગીનું પ્રતિયોગીપણું ઘટમાં છે. એટલે અહીં અભાવને ઘટપ્રતિયોગિતાક ઘટાભાવ કહેવાય. પ્રતિયોગિતાવચ્છક ધર્મઃ ઘટની પ્રતિયોગિતા ઘટત્વ (potness) રૂપે છે. રક્તવાદિ રૂપે નથી, તેથી ઘટપ્રતિયોગિતાક અભાવ ઘટવથી અવચ્છિન્ન ગણાય. તેથી ઘટાભાવ અહીં ઘટવાવચ્છિન્નપ્રતિયોગિતાકઅભાવ છે. (શાહ : પૃ.૫૭) આ પરિભાષા પ્રમાણે અમુક વિશેષ જ્ઞાનનો અભાવ સામાન્ય ધર્મથી અવચ્છિન્ન એવો પ્રતિયોગિતાક અભાવ બની શકે નહીં. “જ્ઞાન નથી' એમ કોઈ કહે તો તેનો અર્થ એ છે કે બધા જ્ઞાનોનો ત્યાં અભાવ છે. ન્યાયામૃતકાર મુજબ “મારામાં જ્ઞાન નથી” એ પ્રતીતિ જ્ઞાનસામાન્યનો અભાવ દર્શાવે છે. અદ્વૈતપક્ષ તેમાં, એટલે કે, જ્ઞાન સામાન્યાભાવની પ્રતીતિમાં વ્યાઘાત દોષ જુએ છે. અભાવનાં પ્રત્યક્ષને માટે ધર્મી અને પ્રતિયોગીનું જ્ઞાન જરૂરી છે. પરંતુ, જ્યાં ધર્મી અને પ્રતિયોગીનું જ્ઞાન થઈ જાય ત્યાં જ્ઞાન સામાન્યાભાવનું પ્રત્યક્ષ થાય જ નહીં. એટલે કે, ધર્મીનું અને પ્રતિયોગીનું જ્ઞાન હોય ત્યાં જ્ઞાન સામાન્યાભાવ હોય જ નહીં. આમ અદ્વૈતમતે “મારામાં જ્ઞાન નથી” એ પ્રતીતિ ભાવરૂપ અજ્ઞાન અંગેની જ છે. જ્ઞાન સામાન્યાભાવ વિશેની નથી (શાહ: પૃ.પ૬). ધર્મી અને પ્રતિયોગી જ્ઞાત થતાં જ્ઞાનત્વરૂપ સામાન્ય