________________
100
હસુ યાજ્ઞિક
SAMBODHI પ્રશિષ્ટ પરંપરાના વિદ્વાન હતા. એ સાથે જ ભારતીય દર્શન અને ખાસ તો તર્કશાસ્ત્ર એમની પરિપક્વ વિદ્વત્તાના અધિકારપૂર્ણ ક્ષેત્રો હતાં. સાહિત્યક્ષેત્રનું ભાષાજ્ઞાન અને વિષય તરીકે દર્શનશાસ્ત્ર અને તર્કશાસ્ત્રનું વિદ્યાજ્ઞાન એમને સહજસિદ્ધ હતા અને આ બન્ને ધુરાઓના વહને જ એમનાં સાહિત્યશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રને નવાં જ પાર્થ સિદ્ધ કર્યા. “તર્ક એમાં, બન્નેના કેન્દ્રમાં છે. એ માત્ર એમના જ્ઞાનકોશનું જ નહીં, શીલકોશનું પણ મુખ્ય કેન્દ્ર રહ્યું છે. એમનું નિજ-મન-મુકુર એટલું તો સ્પષ્ટ હતું, સ્વચ્છ હતું. કે ક્યાંય કોઈ એક જ વાતવાદ સિદ્ધાન્ત, માન્યતા કે ગૃહીતનો ભોગ ન બન્યા અને ભરપૂર પરિશુદ્ધ જીવન સાથે જ તપપૂત સુદીર્ઘ વિદ્યા જીવનનું તપ પૂર્ણ કર્યું.