________________
108
પારુલ માંકડ
SAMBODHI
આછો પરિચય જ હતો, પરંતુ નગીનભાઈની ઉદારતા કેવી કે નાન્દીસાહેબની વાત તેમણે તરત જ સ્વીકારી લીધી અને મારા સુપરવાઈઝર થવાની હા ભણી.
ત્યારબાદ મારુ “કાવ્યપ્રકાશના ત્રણ સંકેતો (= સચ્ચક, સોમેશ્વર અને માણિક્યચન્દ્રકૃત)ના અધ્યયનનું કાર્ય શરૂ થયું. તે સમયના બે પ્રસંગોનો અત્રે ઉલ્લેખ કરું છું. અલંકારશાસ્ત્રના અધ્યયનમાં ક્યારેક ન્યાયની પરિભાષાઓ આવતી માણિક્યચન્દ્રકૃત સંકેત ટીકામાં વિભાવના-વિશેષોક્તિ ઇત્યાદિ અલંકારોની ચર્ચામાં બાધ્ય-બાધક ભાવ, તથા વાક્યન્યાય ઇત્યાદિ ન્યાયમૂલક અલંકારોની ચર્ચા દરમિયાન કેટલાક ન્યાયો વિશે સમજવામાં મને મુશ્કેલી પડતી હતી. તેમણે આ બધી ગૂથીઓ અત્યંત સહૃદયતાપૂર્વક ખૂબ જ વિશદતાથી સમજાવી અને આખો વિષય સ્પષ્ટ કરી આપ્યો હું તેમના અગાધ જ્ઞાનથી લાભાન્વિત થઈ. તે માટે તેમની આભારી છું.
બીજો પ્રસંગ છે R.A. ના બે વર્ષ લંબાવવા માટે તેમના અભિપ્રાયની આવશ્યક્તા હતી અને તો જ મારી સ્કોલરશિપ બીજાં બે વર્ષ માટે મંજૂર થાય તેમ હતું) તેમણે મારા નિષ્ઠાપૂર્વકના કાર્યને માટે ખૂબ સુંદર અભિપ્રાય લખી આપ્યો હતો અને યુ.જી.સી.એ બીજાં બે વર્ષ માટે મારી સ્કોલરશીપ મંજૂર કરી દીધી. મેં શાંતિથી બીજાં બે વર્ષ કાર્ય કરી મારો R.A. માટેનો શોધપ્રબન્ધ પૂર્ણ કરેલો.
ભો.જે. વિદ્યાભવનમાં જૈનદર્શનમાં શ્રદ્ધા (સમ્યગદર્શન), મતિજ્ઞાન અને કેવલજ્ઞાનની વિભાવના' – આ શીર્ષક હેઠળ તેમનાં ત્રણ વ્યાખ્યાનો યોજાયેલાં જે સાંભળવાનો લાહવો મને મળેલો તેમની સૂક્ષ્મક્ષિકાપૂર્વકની વિવેચના, અઘરા વિષયને સરળ બનાવી દેવાની કુશળતા, સાનંદ આશ્ચર્ય પમાડે તેવી હતી.
સંક્ષેપમાં તેમની કુશાગ્ર બુદ્ધિ, નિર્મળ પ્રતિભા, સત્ય ધર્મ પ્રત્યે ઊંડી આસ્થા, દુહ વિષયને હસ્તામલકવતુ કરી આપવાની સંસિદ્ધિ, મુખ પર આછું સ્મિત સૌ કોઈ પ્રત્યે એકસરખી સ્નેહાળતા, ઋજુતા અને મિતભાષિતા ઈત્યાદિ ગુણો અવિસ્મરણીય છે.
તેમનો દિવ્ય આત્મા અને તેમનો અક્ષરદેહ આજે પણ સૌને પ્રેરણાપીયૂષ પાય છે–પાતો રહેશે – આવી શ્રદ્ધા સાથે તેમને પ્રણામ કરીને વિરમું છું.
જ
છે
,