________________
vol. XXXVII, 2014 પ્રો.નગીનભાઈ શાહ : સંસ્મરણો
97 આ ઉપરાતં “અધ્યાત્મબિન્દુ, “જૈનપ્રકરણસંગ્રહ', “જનનચંદ્રોદય નાટક' અને તત્ત્વચિંતામણિ પરની ગુણરત્નની ટીકા – વગેરે સંસ્કૃત કૃતિઓ જે હસ્તપ્રતરૂપે હતી, તેમનું પ્રસ્તાવના અને વિવેચનાત્મક નોંધો સહિત સંપાદન અને પ્રકાશન કર્યું. તે સિવાય એમના ચાલીસેક સંશોધન લેખોમાં પણ દર્શનવિષયક એમના અગાધ પાંડિત્યની પ્રતીતિ થાય છે.
શ્રી નગીનભાઈના આવા ઉત્કૃષ્ટ કહી શકાય એવા શોધન અને સંપાદન કાર્યની કદરદાની રૂપે દેશની ઉત્તમ સંસ્થાઓ દ્વારા અપાયેલા પુરસ્કાર અને એવોડથી સન્માનીય થવા છતાં, નથી ક્યારેય એમણે પોતાની પ્રશંસા કરી કે નથી પ્રસિદ્ધિની કે સન્માનની સામેથી ખેવના કરી, એવો એમના નિઃસ્પૃહ સ્વભાવ હતો.
ભારતીય દર્શનોના આ સુવિખ્યાત વિદ્વાન સંશોધક, ઉચ્ચ નૈતિક મૂલ્યોને જીવનમાં ચરિતાર્થ કરીને, એક નિખાલસ, સરળ, સહૃદયી માનવી તરીકે જે ઊંચાઈઓને સરૂ કરી છે તે એમની સંશોધનક્ષેત્રની સિદ્ધિઓ જેટલી જ પ્રશંસાને પાત્ર છે.
લા.દ.વિદ્યામંદિરના નિયામક તરીકે સંસ્કૃત સુભાષિતોને લગતી અમુક હસ્તપ્રતોનું પ્રકાશન અને સંપાદન કરવા માટે, તેમજ મારા અમુક લેખો સંબોધિમાં પ્રકાશિત કરીને, લખવા માટે, મને પ્રેમથી પ્રોત્સાહન આપવા માટે, હું મુ.શ્રી નગીનભાઈની ઋણી છું. આ લખાણ દ્વારા એ દિવગંત આત્મના અંજલિ અર્પ છું.