________________
95
Vol. XXXVI, 2014 “મૂથોવિ:' ‘સ્થિાપીતઃ' વિદ્વાન શ્રી નગીનભાઈ શાહ
એક પ્રસંગે બ્રહ્મસૂત્ર શાંકરભાષ્યના મારા અનુવાદ-ગ્રંથની હું પ્રસ્તાવના લખતો હતો. તેમાં નગીનભાઈના એક અનુવાદ - ગ્રંથમાંથી એક વિધાન ઉધૂત કરતો હતો. તે વિધાન હતું : ડૉયસને કરેલા બ્ર.સૂ.શા.ભા.ના જર્મન અનુવાદથી નીશે (Nietzsche) એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે તેમણે નોંધ કરી કે... સર્વશ્રેષ્ઠ (મોક્ષમૂલર જેવા) ભાષાશાસ્ત્રીઓ પણ ડૉયસનની તુલનામાં માત્ર ગધેડાઓ છે (....are but asses, compared to Deussen) India and Europe, Wilhelm Halbfass, P.129; ભારત અને યુરોપ, અનુવાદ : નગીન જી. શાહ, પૃ.૧૪૬) આ વિધાન ટાંકતાં પહેલાં મેં નગીનભાઈને ફોન દ્વારા પૂછ્યું : “આ “ગધેડા' શબ્દ તમને અશિષ્ટ જેવો નથી લાગતો?” એમણે મને સામે પ્રશ્ન પૂછ્યો : “તમે asses' શબ્દનો શો અનુવાદ કરો ?” પછી મેં એ જ વિધાન પ્રસ્તાવનામાં ટાંક્યું. (પ્રસ્તાવના પૃ.૧૫, બ્ર.સૂ.શા.ભા. અનુવાદ, ભાગ ૧)
વિસં.૨૦૭૦ના નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન નિમિત્તે મેં અહીંથી, વિનિપેગ (મનિટોબા, કેનેડા)થી નગીનભાઈની સાથે વાત કરવા ફોન જોડ્યો. થોડીક વાતો કરી (તા.૬-૧૧-૨૦૧૩). તેમના અવાજમાં મંદતા વરતાતી હતી. પછી જાન્યુઆરીમાં તો તેમના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. થોડીક ક્ષણો ચિત્ત શોકમગ્ન થયું. સ્મૃતિઓ ઊછળી. અહીંની પ્રતિ રવિવારની (તા.૧૯-૧-૨૦૧૪) સત્સંગ સભામાં મેં નગીનભાઈનો થોડોક પરિચય આપ્યો અને (ૐ મને નય સુથા...) અમે એક મિનિટની મૌન-પ્રાર્થના દ્વારા નગીનભાઈને ભાવાંજલિ અર્પી.
જાણવા મળ્યું કે લા.દ.વિદ્યામંદિરમાંથી શ્રી નગીનભાઈની સ્મૃતિમાં એક સ્મૃતિ-અંક (Commemoration Volume) પ્રકાશિત થઈ રહ્યો છે. તેમાં મારે એક સ્મૃતિ-લેખ મોકલવાનો છે. સંસ્થાના નિયામક શ્રી જિતુભાઈ સાથે ફોન પર વાત કરીને આ વાતને સુનિશ્ચિત કરી.
પરંતુ અહીં કેનેડાના નિવાસમાં મારી મુશ્કેલી એ હતી કે નગીનભાઈએ મને ભેટરૂપે આપેલાં અનેક પુસ્તકો, તેમના લેખના મેં કરેલા રિન્યૂ એ બધું મારા અમદાવાદના ઘરના ગ્રંથાલયમાં હતું. તેથી મેં નગીનભાઈના પુત્ર શ્રી રાજેશભાઈને ફોનથી પૃચ્છા કરી. તેમણે નગીનભાઈની, મુદ્રિત પરિચયપુસ્તિકા e-mailથી મોકલી આપી.
પરિણામે શ્રી નગીનભાઈ સાથેના મારા દીર્ઘ સખના ભાવોને શબ્દબદ્ધ કરવાનો અવસર મળ્યો. નગીનભાઈએ મૂળ હસ્તપ્રતના આધારે સંપાદિત કરેલી, ઉદયનની ન્યાયકુસુમાંજલિ ઉપરની વાયધ્વજની સંસ્કૃત ટીકા(Press copy almost ready)ને આપણે પ્રકાશિત કરીએ અને એમના વિદ્યાતપઃપૂત ગ્રંથોનું આપણે પરિશીલન કરીએ, એ જ શ્રી નગીનભાઈ માટે સમુચિત સ્મરણાંજલિ ગણાય.