Book Title: Safaltani Sidi
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 16
________________ . સફળતાની સાત ચરણસ્પર્શ કરવાને બદલે આ અધમે તેનું નાક કેમ કરવી ખાધું? એ પ્રશ્ન સહુના મનમાં ઊઠવા લાગ્યા. તેથી અધિકારીએએ તે ચોરને પૂછ્યું કે “તે આવું કાળું કૃત્ય કેમ કર્યું !” રે કહ્યું: “મેં એગ્ય જ કર્યું છે. જે મારી માતાએ મને નાનપણમાં ચોરી કરતાં વાર્યો હોત તો મારી આ હાલત થાત નહિ. પણ તેણે તે મને ઉત્તેજન જ આપ્યા કર્યું. એટલે તે મારી માતા નહિ પણ જીવતી ડાકણ છે અને તેથી જ મેં એનું નાક કરડી ખાધું છે.” આ સાંભળી બધા માણસોનું કુતૂહલ શાંત થયું અને તેમણે હવે પછી પોતાના પુત્ર-પુત્રીઓને ચેરીના કોઈપણ કામમાં કેઈ પણ જાતનું ઉત્તેજન ન આપવાનો નિર્ણય કર્યો. તાત્પર્ય કે “ચેરી કરશે નહિ. (૩) માંસ-ભક્ષણ કરશે નહિ. પરમાટી વાપરવી; મત્સ્ય ખાવાં, ઈડાં વાપરવાં; એ બધાં માંસભક્ષણનાં સ્વરૂપ છે. આ પ્રકારનું માંસભક્ષણ પંચેન્દ્રિય પ્રાણુઓને વધ કર્યા–કરાવ્યા વિના થઈ શકતું નથી. ' જે પારકાના પિંડથી પિતાને પિંડ પિોષવાને ઈરછે, તેને ન્યાયી કેમ કહેવાય ? જે અનેક પ્રકારની નિર્દોષ વસ્તુઓ છેડીને સદેષ માંસને પસંદ કરે, તેને શાણે કેમ કહેવાય ? જે પ્રાણીમાત્રને એક પિતાની ઓલાદ માનવા છતાં તેને કાપીને ખાઈ જાય, તેને શિષ્ટજન કેમ કહેવાય ? * જેન સિવાયના ઇતર દર્શનકારની માન્યતાની અપેક્ષાએ આ વાત છે.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82