________________
બીજું :
: ૧૧
સફળતાની સીડી પરિણામે ઘણાં જ ખતરનાક છે. આ ભયંકર વ્યસનને લીધે સુખમય સંસાર સળગી જાય છે, પૈસો ટકો પલાયન થાય છે, શરીર પાયમાલીના પંથે પડે છે અને મન સદા વ્યાકુળ રહે છે. | દારૂડિયાની હાલત કેવી કરુણ થાય છે, તે છાતીએ કતરી રાખવા જેવું છે. તેઓ ઠેકાણે-કઠેકાણે ગમે ત્યાં પટકાઈ પડે છે, તેમનાં ફાટી રહેલાં મોઢામાં કૂતરાઓ પેશાબ પણ કરી જાય છે !
દારૂની લતે ચડનાર મનુષ્ય જુગાર, ચેરી અને વ્યભિચાર જેવા મહાન દુર્ગણમાં સરલતાથી ફસાઈ જાય છે, તેથી ઉન્નત વિચારો અને ઉન્નત આચારને અપનાવવાનું તેમને માટે અશક્ય બને છે. તેથી જ તે માનવ જીવનને નિષ્ફળ બનાવનાર “મદિરાપાન કરશે નહિ.”
(૫) પરસેવન કરશે નહિ. પંચની સાક્ષીએ જે સ્ત્રીનું પાણિગ્રહણ કરવામાં આવ્યું હોય તે સિવાયની કોઈ પણ સ્ત્રીને સમાગમ કર એ પરસ્ત્રીગમન છે. એનાં ભયંકર પરિણામે કેવાં આવે છે, તે જાણવા માટે લંકાપતિ રાવણનું દષ્ટાંત વિચારવું જોઈએ. તે અનેક વિદ્યાને જાણકાર હતો, મહાન બળિયે અને પરાક્રમી હતો, પરંતુ આ એક જ કુલક્ષણથી અધઃપતનની ઊંડી ગર્તામાં સરી પડશે અને કાયમને માટે કાળી ટીલી લઈને આ જગતમાંથી વિદાય થશે. | ગુજરાતના વાઘેલા રાજા કરણને પણ આ જ નાદ લાગે હતો. પ્રધાનની સ્વરૂપવંતી સ્ત્રીએ તેના મનને પરાધીન બનાવ્યું હતું. આ કારણે તેણે જે ઉપાય લીધા અને પરિણામે માધવે