________________
ધર્મબંધ-ચંથમાળા : ૨૨ :
ઃ પુષ જોડા, આવી વિવિધ વસ્તુઓ અને સ્ત્રી એ સ્પર્શસુખનાં સાધન છે. વિવિધ જાતનાં ખાણાં, વિવિધ જાતનાં પીણાં, વિવિધ જાતનાં મેવા-મિઠાઈ અને વિવિધ જાતનાં મુખવાસ એ રસસુખનાં સાધન છે. કેશર, કસ્તુરી, અગર, ચંદન, વિવિધ જાતનાં તેલે, વિવિધ પ્રકારનાં અત્તર અને સુવાસિત પુપિ એ ગંધસુખનાં સાધન છે. મનહર વસ્ત્રો, મનોહર અલંકારો, મનહર રૂપ અને મનહર દેખાવ એ વર્ણસુખનાં સાધન છે. તથા સુંદર શબ્દો, પ્રિય વાકયે, મધુર ગીત, મનહર અવાજ, રુચિકર તાલ કે વિવિધ આરોહ-અવરોહને અનુસરતી સ્વરશ્રેણી એ શબ્દસુખનાં સાધનો છે.
તાત્પર્ય કે–એક પ્રકારના મનુષ્ય જે કાંઈ પ્રવૃત્તિ પરિશ્રમ, વ્યાપાર-વ્યવસાય કે ધંધા-રોજગાર કરે છે, તેને હેતુ કંચન, લક્ષ્મી, સુવર્ણ, દ્રવ્ય, નાણું, ધન, પિસે આદિ નામથી ઓળખાતા અર્થની પ્રાપ્તિ હોય છે અને તે દ્વારા જ્યારે તેઓ વિવિધ ભેગ-ઉપભોગની સામગ્રી એટલે “કામ મેળવી શકે છે ત્યારે પોતાની મહેનત ફળી ”—પોતાને સફળતા મળી.” એમ માને છે.
ધર્મ અને મેક્ષ. આધ્યાત્મિક ઉન્નતિનું સાધન, દાન–શીલ-તપ-ભાવવાળો. ધર્મમાર્ગ કે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રવાળો મેક્ષમાર્ગ ગણાય છે. કહ્યું છે કે – "दानं सुपात्रे विशदं च शीलं, तपो विचित्रं शुभभावना च । भवार्णवोत्तारणसत्तरण्डं, धर्म चतुर्धा मुनयो वदन्ति ॥"