________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૯૩
પ્રવચનસાર પ્રવચનો ૩ ભાવાર્થ- પદાર્થ દ્રવ્યસ્વરૂપ છે. દ્રવ્ય અનંતગુણમય છે. દ્રવ્યો અને ગુણોથી પર્યાયો થાય છે. પર્યાયો બે પ્રકારના છે. (૧) દ્રવ્યપર્યાય; (૨) ગુણપર્યાય. તેમાં દ્રવ્યપર્યાયો બે પ્રકારના છે. (૧) સમાન - જાતીય- જેમ કે દ્વિ- અણુક, ત્રિ-અણુક વગેરે સ્કંધ. (૨) અસમાનજાતીય – જેમ કે મનુષ્ય, દેવ વગેરે. ગુણપર્યાયો પણ બે પ્રકારના છે. (૧) સ્વભાવપર્યાય-જેમ કે સિદ્ધ ના ગુણ પર્યાયો. (૨) વિભાવપર્યાય જેમ કે સ્વપર હેતુક મતિજ્ઞાન પર્યાય.
આવું જિનેન્દ્ર ભગવાનની વાણીએ દર્શાવેલું સર્વ પદાર્થોનું દ્રવ્ય-ગુણ - પર્યાય સ્વરૂપ જ યથાર્થ છે. જે જીવો દ્રવ્ય ગુણને નહીં જાણતા થકા કેવળ પર્યાયને જ અવલંબે છે, તેઓ નિજસ્વભાવને નહીં જાણતા થકા પરસમય છે. ૯૩.
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com