Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ : ૬ : પ્રશ્નોત્તર રસધારા પ્રશ્ન ૨૫ઘરમાં સુવાવડ હોય ત્યારે પ્રભુની તસ્વીરે, સિદ્ધચક્રજીને ગદ્દો અને પુસ્તક વિગેરે ઘરમાં હોય તે પ્રસુતિ-(સુવાવડ)વાળા ખંડમાંથી બીજા ખંડમાં અગર મેડા ઉપર એકાંતે મૂકી દેવામાં આવે તો વાંધો છે? ઉત્તર–પ્રતિવાળે ખંડ છોડી બીજા ખંડમાં અગર મેડી ઉપર રાખવામાં વાંધો જણાતો નથી; ઘરની વસ્તુ ઘરમાં જ ગૃહસ્થ રાખી શકે; પણ જેમ બને તેમ વિવેક સાચવી કામ કરવાની જરૂર છે. પ્રશ્ન ર૬–રેગાદિ કારણે સ્નાન ન થઈ શકે તે, પ્રભુની તસ્વીર કે સિદ્ધચક્રજીને ગટ્ટો હોય તો તેમને અડીને વાસક્ષેપ પૂજા થાય? ઉત્તર–કારણે સર્વસ્નાન ન થઈ શકે તે પંચાંગ (બે હાથ, બે પગ અને મેટું) શુદ્ધ કરી ઊંચેથી વાસક્ષેપ પધરાવે તે વાંધો નથી. પ્રશ્ન ર૭–માણસના મૃત્યુસમયે પાછળને માણસે તેને તપસ્યા વિગેરે ધર્મકાર્યો કરવાનું કહે છે; તેને સંપૂર્ણ લાભ મરનારને મળી શકે? ઉત્તર–એ એક રૂઢી પડેલી જણાય છે; બાકી કર્મની નિર્જરા તો તપસ્યા કરનારની જ થાય છે; હા, તપસ્યા કરનારની અનુમોદના કરવાથી બીજાને પણ ફળ મળે છે; પણ તે તપસ્યાનું નહિ, કિંતુ અનુમોદનાનું. તેવી જ રીતે કેઈએ કેઈની પાછળ કહ્યું કે હું અમુક તપસ્યા કરીશ, તે સાંભળી સાંભળનાર ઘણી ખુશી માની લે અને અનુમોદના કરી છે તે પિતાની ભાવનાના પ્રમાણમાં પિતાને ફળ મળી ગયું જાણવું પણ તપસ્યાનું ફળ તો શુદ્ધ મનથી તપસ્યા કરનારને જ મળે છે. પ્રશ્ન ૨૮–ાઈ માસખમણ આદિ તપસ્યાવાળે પિતાની તપસ્યાનું ફળ સામા માણસને અમુક રકમ લઈ વેચાતી કે બક્ષીસ આપી દે છે. તેને સંપૂર્ણ યા થડે પણ લાભ લેનાર માણસને મળી શકે ? ઉત્તર–તપસ્યા વેચાતી નથી, તેમ વેચાતી લેવાતી પણ નથી; પરંતુ એથી તપસ્યા વેચનાર માણસ પોતાની તપસ્યાનું ફળ (જે કર્મોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94