Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 55
________________ : ૪૨ : પ્રશ્નોત્તર રસધારા પ્રશ્ન ૮૩–સૂર્ય, ચંદ્રના ગ્રહણ વખતે આપણે શું શું વર્જવાનું છે? ઉત્તર–એ વખતે દેવદર્શન ન કરવાં (દેરાસરે બંધ રાખવાં), પ્રતિક્રમણદિ ધર્મક્રિયાઓ ન કરવી, ખાવું નહિ, સ્ત્રી સેવન ન કરવું, ગ્રહણની છાયા નીચે હરવું ફરવું નહિ; શાસ્ત્રાધ્યયન, પઠન, પાઠન ન કરવું; ઇત્યાદિ અનેક બાબતે વયે કહેલ છે, કારણ કે આ વખતે વાતાવરણ બહુ કલુષિત થઈ જાય છે. પ્રશ્ન ૮૪–બંડી, ગંજીફરાક વિગેરે અશુદ્ધ હોય તો તે પહેરીને દેવગુરુનાં દર્શનાદિ ક્રિયા થઈ શકે કે નહિ? ઉત્તર–અશુદ્ધ વસ્ત્રથી દેવગુરુનું દર્શનાદિ ન કરવું તે યોગ્ય છે, છતાં કદી દર્શન કરાય, પણ પૂજન કે સામાયિક, પ્રતિક્રમણદિક તે ન જ થાય. પ્રશ્ન ૮૫-ઘરની નજીક કેઈનું મરણ થયું હોય ત્યારે તેનું મૃતક પડ્યું હોય ત્યાં સુધીમાં શું શું ક્રિયા ન થઈ શકે? ઉત્તર–સામાયિક, પ્રતિક્રમણ, પઠન, પાઠનાદિ ન થાય. પ્રશ્ન ૮૬–-સ્થાપનાચાર્યને અડવાથી દોષ લાગે? ઉત્તર–અશુદ્ધ વસ્ત્ર કે શરીરે અડવાથી દેષ લાગે. પ્રશ્ન ૮૭–દૂધમાં બાંધેલા લોટથી કરેલાં ઢેબરાં, ભજીયાં, પુરી વિગેરે વાસી ગણાય ? ઉત્તર–જરૂર ગણાય. દૂધે બાંધવાથી તે વસ્તુ સાથે બીજાને અડવામાં વાંધો નથી, પરંતુ રાત્રી રહે તો વાસી થાય જ છે. પ્રશ્ન ૮૮-છાશથી કે દૂધથી બાંધેલા લોટનાં બનાવેલાં ઢેબરાં વિગેરે તથા ધાણા મરચાં વિગેરે નાખેલ હોય અને પાણી નાખ્યા સિવાય બનાવેલ હોય તેવું શાક બીજે દિવસે વાપરી શકાય ? . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94