Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 60
________________ પ્રશ્નોત્તર રસધારા : ૪૭: પ્રશ્ન ૧૦૮–નીર્થકરને દીક્ષા સમયે મન:પર્યવ જ્ઞાન થાય છે, તે વિપુલમતિ હોય કે ત્રાજુમતિ હેય? ઉત્તર–એ બે પ્રકારમાંથી કેવું હોય તેની સ્પષ્ટતા જાણી નથી, પરંતુ આવેલું જતું નથી તેથી વિપુલમતિ સંભવે છે. પ્રશ્ન ૧૦૦-નીર્થકર વરસીદાન આપે છે ત્યારે સેનામહેર આપે છે કે બીજું પણ આપે છે? ઉત્તર–સેનામહોર, રૂપીઆ, અન્ન, વસ્ત્ર, હાથી, ઘોડા વિગેરે જે માગે તે આપે છે. પ્રશ્ન ૧૧૦–વરસીદાન માટે બધું દિવ્ય દેવો ક્યાંથી લાવે છે? . ઉત્તર–એ વિષે કલ્પસૂત્રની સુબોધિકા ટીકામાં વિસ્તારથી વર્ણન કરેલું છે, તે વાંચે. તમે ઘણું વાર તે સાંભળ્યું પણ હશે. પ્રશ્ન ૧૧૧-દીક્ષા વખતે તીર્થકરને ખભે દ દેવદૂષ્ય વસ્ત્ર મૂકે છે, તે બધા તીર્થકરને કયાં સુધી રહેલ છે? ઉત્તર–વીરપ્રભુને એક વર્ષ ઝાઝેરું અને બીજા ત્રેવીસ તીર્થકરોને નિવાણુ પામતા સુધી રહેલ છે, એમ સપ્તતિશતસ્થાન પ્રકરણમાં કહેલ છે. ઋષભદેવને એક વર્ષ રહ્યાનું કોઈ સ્થળે કહેલ છે, પણ તેનું કારણ જણાવેલ નથી. પ્રશ્ન ૧૧૨–વીર પ્રભુનું ને અષભદેવનું દેવદૂબ ગયા પછી તેમને શારીરિક દેખાવ બિભત્સ લાગતો નહિ હોય? ઉત્તર–તીય કરના અતિશવડ તેઓ બિભત્સ લાગતા નથી; સુંદર જ લાગે છે, એમ કહેલ છે. પ્રશ્ન ૧૧૩–તીર્થકર નામકર્મ બાંધવું અને નિકાચિત કરવું એ બન્ને વાત એક જ છે કે જુદી છે? ; . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94