Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 37
________________ : ૨૪: પ્રશ્નોત્તર રસધાર ઉત્તર–જાતિસ્મરણ જ્ઞાન અને અવધિજ્ઞાન કવચિત કવચિત થવાનો સંભવ કાળસપ્તતિકામાં કહેલ છે. પ્રશ્ન ૨૧–આકાશમાં ગાજવીજ થાય છે, ભિન્ન ભિન્ન પ્રકારનાં વાદળાં થાય છે ને વિખરાય છે; અને વાદળાં ચાલતાં દેખાય છે તેને આપણે શું માનવાનું છે ? ઉત્તર-એ ઘણે ભાગે પુદ્ગલ પરિણમન સ્વભાવ છે. પાણીનો પિંડ વાદળાંરૂપે બંધાય છે, વાયુના સંયોગે તે ચાલતાં દેખાય છે; કરવ, વાદળાં સાથે વાયુના અથડાવાના કારણથી થાય છે, અને વિજળી અગ્નિકાયનો પિંડ છે, તેને ચમકારા કરવાનો સ્વભાવ છે. વાયુ વાદળાંને સ્પર્શ કરી શકે છે અને તેથી જ ગરવ થાય છે, વાદળાં સ્પર્શન થાય એવી વસ્તુ નથી. પ્રશ્ન રર–પર્યુષણ પર્વની કથામાં આવે છે કે શ્રી વીર પર માત્માએ શ્રેણિક રાજાને ઉપદેશ સંભળાવતાં કહ્યું કે-પર્યુષણમાં કલ્પસૂત્ર શ્રવણ કરવું વિગેરે ધર્મકાર્યો કરવાં તે, ભગવાનના સમયમાં ને ત્યાર અગાઉ કયું કલ્પસૂત્ર વંચાતું હશે ? આ તો ત્યારપછી બનેલું છે. ઉત્તર–એ સર્વસામાન્ય ઉપદેશ છે, તે આધુનિક જૈન બાંધ માટે છે; શ્રેણિક રાજાને ઉદ્દેશીને કહેવાની સામાન્ય પદ્ધતિ છે. મહાવીર પ્રભુના વખતમાં અને ત્યાર અગાઉ પર્યુષણમાં સમયને અનુકૂલ વાંચન ગુમહારાજ કરતા હશે ને શ્રાવકે સાંભળતા હશે; કલ્પ શબ્દ મુખ્યત્વે મુનિના આચારવાચક છે, બાકી શાસ્ત્રની પદ્ધતિ જ એ પ્રમાણે કહેવાની છે. પ્રશ્ન ર૩–શ્રી દેવર્કિંગણિ ક્ષમાશમણે સૂત્રો પુસ્તકાસ્ટ કયાં ત્યાર અગાઉ લખેલાં પુસ્તકે હશે કે નહિ ? ઉત્તર–લિપિ તે ત્રષભ પ્રભુના વખતથી તેમની શીખવેલી લખવામાં આવે છે. ફક્ત સૂત્રોનું પંચાંગી વિગેરે મુખપાઠ હતા, તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94