________________
(૫૫) સંયોગનું અનિત્યપણું
૫ ૩
હાં રે વળી ચક્રવર્તી સમ પુણ્યવંતનાં સુખ જો, સ્થિર રહ્યાં ના, તો શી વાત બીજા તણી રે લોલ? હાં રે સત્ ઘર્મ બ્લ્યાં તો ખમવું પડશે દુઃખ જો,
લખચોરાશી યોનિ દુઃખદાયી ઘણી રે લોલ. ૧૮ અર્થ :- નરોમાં ઇન્દ્ર સમાન ચક્રવર્તી જેવા પુણ્યશાળીના સુખો પણ સ્થિર રહ્યા નથી, તો બીજા સામાન્ય જીવોની શી વાત કરવી? ઇન્દ્રિયોના સુખોમાં આસક્ત થઈ આત્મઘર્મને જો ભુલી ગયા તો ચારે ગતિમાં દુઃખ ખમવું પડશે. ચોરાશી લાખ જીવયોનિ ઘણી દુઃખદાયી છે, તે વાત સ્થિર ચિત્તે વિચારવા યોગ્ય છે. II૧૮ાા
હાં રે જુઓ લક્ષ્મી કાજે જીવ કરે બહુ પાપ જો, તોપણ પુણ્ય વિના મળતી, ટકતી નથી રે લોલ; હાં રે તે દે દુર્બુદ્ધિ, વઘે પાપ સંતાપ જો,
દાન ભોગ વિના તર્જી, ર્જીવ લે દુર્ગતિ રે લોલ. ૧૯ અર્થ – ઘન મેળવવા માટે જીવો અનેક પ્રકારના આરંભ કરે છે, અઢાર પાપસ્થાનક સેવે છે. પણ પૂણ્ય જો ન હોય તો લક્ષ્મી મળતી નથી અથવા મળેલ હોય તો પણ ટકતી નથી. પાપથી મેળવેલી લક્ષ્મી દુર્બદ્ધિ આપે છે. જેથી પાપ વધે છે અને તે પાપ જીવને સંતાપનું કારણ થાય છે. વિશેષ મેળવવાની તૃષ્ણાના કારણે જીવ તે લક્ષ્મીને દાનમાં કે ભોગમાં વાપર્યા વિના જ તજી દઈને મરણ પામી દુર્ગતિએ જાય છે. “જન્મ મરણ કોના છે જે તૃષ્ણા રાખે છે તેના.” -શ્રીમદ્ રાજચંદ્ર /૧૯ાા
હાં રે તે જનશિક્ષણ કે સન્શાસ્ત્રોને કાજ જો, સન્માર્ગે વાળી જીવોને રક્ષવા રે લોલ; હાં રે જે દુખી-દરિદ્રીને દેવા સુખ-સાજ જો,
યોજે લક્ષ્મી તે લક્ષ્મીપતિ લેખવા રે લોલ. ૨૦ અર્થ :- લક્ષ્મીનો ઉપયોગ લોકોને આત્મા સંબંધી સાચું શિક્ષણ આપવામાં કે જ્ઞાની પુરુષો દ્વારા રચિત સન્શાસ્ત્રો છપાવવામાં કરવો જોઈએ. જેથી તે જીવો સમ્યકજ્ઞાન દ્વારા ઉત્તમ મોક્ષમાર્ગને પામી સંસારના જન્મજરામરણાદિ દુઃખોથી સર્વકાળને માટે બચે. તેમજ દુઃખી અને દરિદ્રી એટલે ગરીબને સુખશાંતિ આપવા જેઓ પોતાની લક્ષ્મીને યોજે તે ખરેખરા લક્ષ્મીપતિ ઘનવાન શેઠ જાણવા. ૨૦ના
હાં રે તુજ હાથ વિષે ઘન છે ત્યાં લગી લે લહાવ જો, તજી અચાનક મરવું પડશે એકલા રે લોલ; હાં રે સત્ દાન નિમિત્તે સુંઘરશે નિજ ભાવ જો,
લોભ છૂટ્યા વિણ મળે ન નિજસુખની કલા રે લોલ. ૨૧ અર્થ - પુણ્ય ઉદયે જ્યાં સુધી તારા હાથમાં ઘન છે ત્યાં સુધી તું આ દાનઘર્મનો લ્હાવો લઈ લે. નહીં તો અચાનક મરણ આવ્યું એકલા જ મરવું પડશે. અને લક્ષ્મી બધી અહીં જ પડી રહેશે. લક્ષ્મીને સમ્યપ્રકારે દાનમાં વાપરવાથી તારા ભાવ પણ સુધરશે. નહીં તો અંતરંગ શત્રુ એવો આ લોભ કષાય છૂટ્યા વિના આત્મસુખ પ્રાપ્તિની કલા પણ હાથ લાગે તેમ નથી. ૨૧ાા