________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૬૧
ભાન અને ભય વિના “સારા”
બની શકાય નહિ અતૃપ્ત માણસ શી રીતે સારો બની શકે? અતૃપ્તિમાંથી કેટકેટલા પાપોનો પ્રસવ થાય છે? એ વાતથી ભોગીઓની દુનિયા ક્યાં અજાણ છે?
અતૃપ્તિને અને તેનાથી જન્મતાં પાપોને ડાયે જ છૂટકો... તે વિના સારા માણસ તરીકેનું જીવન જીવી શકાય નહિ.
અતૃપ્તિને ડામે છે ભટક્યાનું ભાન. અતૃપ્તિએ જન્માવી દીધેલા પાપસંસ્કારોને મોળા પાડે છે; ભમવાનો ભય.
અનાદિકાળથી ચાર ગતિમાં ભટકતો ભટકતો હું અહીં આવ્યો છું. ક્યાં નથી ભમ્યો? શું નથી બન્યો? ચક્રી પણ બન્યો; દેવેન્દ્ર પણ બન્યો. ઉર્વશી, અપ્સરાના દેહસુખ પણ માણ્યા.... રે! સત્તાના સર્વોચ્ચ સિંહાસને બેઠો.. તોય... તોય મને તૃપ્તિ ન થઈ.
નદીઓ અને તળાવો પીને ય તૃષા નહિ છિપાવી શકનારને શું હવે એ તળાવના ભીના ઢેફાં ચૂસવાથી તૃપ્તિ થશે? અસંભવ.
ભટક્યાનું ભાન તૃષા મિટાવે; તૃપ્તિ અપાવે ભમવાનો ભય.
ભમવાનો ભય નવા પાપો અટકાવે. “જો પાપ કરીશ તો ભમવું પડશે. મારે બધું ય મૂકીને મરણ પામીને ક્યાંક જવાનું છે. હાય! પાપાત્માને દુર્ગતિ સિવાય બીજું શું હશે? દુઃખો સિવાય એના નસીબે શું લખાતું હશે? ઓહ! તો પછી મારાથી પાપ ન જ થાય, ગમે તેવી કુટેવો પડી ગઈ હોય તો ય મારે તેને ત્યાગવી જ રહી, નહિ તો મારો કોઈ સગો થવાનો નથી એ ભાવિ ભવ ભ્રમણમાં!
આ ભાન અને ભય ભવના ભાવ નાબૂદ કરે. તૃપ્તિ અને જાગૃતિનાં દર્શન કરાવે.
કેવા છે ભોગો? એનો ઓડકાર પણ ન આવે!
માનવજીવનની અમૂલ્ય પળોની સરિયામ બરબાદ કરી નાખીને; સઘળી અમૂલ્ય શક્તિઓને સળગાવી મારીને વર્ષો સુધી-એકધારા-જે ભોગસુખો માણ્યા એની કરુણતા તો જુઓ કે એક જ પળ માટે આવી પડેલા સાચા કે કાલ્પનિક દુઃખને ય