________________
૨૮૮
નહિ એસો જનમ બાર-બાર
સતત રહ્યા જ કરતી હોય છે. આવી અશાંતિને જીવ લઈને જ જંપતી ડાકણની ઉપમા જ ખૂબ યથાર્થ છે.
પશ્ચાત્તાપ અને વંદના
બે બળો ભેગા થાય ત્યારે બેટરી ચાર્જ થાય. નેગેટીવ અને પોઝીટીવ.
જીવનને બેટરીની ઉપમા આપીએ તો તેને “ચાર્જ કરીને પ્રકાશ પામવા માટે ય બે બળોની જરૂર છે. નકારાત્મક અને હકારાત્મક.
જીવનનો અંધકાર એટલે જીવનના પાપો... શાસ્ત્રનિરપેક્ષ જીવન.
એ અંધકારનું વિલોપન કરવા માટે પશ્ચાત્તાપની અત્યંત અનિવાર્ય આવશ્યકતા છે. જે જલતો નથી; જીવનના પાપોની સ્મૃતિથી... તે કદી પ્રકાશ પામતો નથી.
પાપોની પશ્ચાત્ (પછી) તપવું. જલવું. એનું જ નામ પશ્ચાત્તાપ.
પણ એકલો પશ્ચાત્તાપ નહિ ચાલી શકે, વસ્તુતઃ સાચો પશ્ચાત્તાપ એકલો હોઈ શકતો નથી. એની બીજી બાજુ સ્વયંભૂ રીતે પ્રાપ્ત થઈ જાય છે.
પશ્ચાત્તાપ એ નકારાત્મક બળ છે. હા... નકારાત્મક છતાં ય બળ તો ખરું જ. નકારાત્મક કહીને એને વગોવશો નહિ. બેટરી ચાર્જ થવામાં જેટલું મૂલ્ય પોઝીટીવ બળોનું છે, એટલું જ મૂલ્ય નેગેટીવ બળોનું છે. એને જરાક પણ ઓછું મૂલ્યવાન તો નહિ જ કહી શકાય.
પણ મૂલ્યવાન પશ્ચાત્તાપ માત્રથી નહિ ચાલે. એની સાથે હકારાત્મક બળ પણ અનિવાર્ય છે. એ “પોઝીટીવ ફોર્સ'નું નામ છે વંદના..
નિષ્પાપોને વંદના, આપણને અત્યંત ઝડપથી નિષ્પાપ બનાવે. પાપના પશ્ચાતાપની સાથે નિષ્પાપને વંદનાઓ.... વંદનાવલિઓ..... તો હોવી જ ઘટે.
આ બે ય “ફોર્સ” ભેગા થાય કે જીવન નિષ્પાપ બની જાય. પછી એ જીવનને ટકાવી રાખવું હોય તો સદાની શરણ્યોની શરણાગતિ અનિવાર્ય છે.
પાપ; સાપથી ય ખરાબ
વધુ કોણ ખરાબ? પાપ કે સાપ?