________________
૧૯૮
નહિ ઐસો જનમ બાર-બાર
રહેવી જોઈએ.
આવી પરલોકની સદ્ગતિઓ પણ, મૃત્યુ વખતે સમાધિભાવ ન રહે તો ન જ મળે, માટે એ સમાધિ મેળવવી જ રહી. મુક્તાત્માઓને ભાવભરી વંદનાસ્વરૂપ એ મૃત્યુસમાધિ પણ જીવનમાં શાંતિ ન હોય તેને ન જ મળે માટે જીવન ખૂબ શાંતિથી પસાર કરવું જ રહ્યું.
શાંતિ એટલે સુખમાં અલીનતા અને દુઃખમાં અદીનતા.
આવી શાંતિ પણ સંતોષ વિના તો શક્ય જ નથી. ભોગની ભૂખ જો કારમી બની રહે તો એ ભોગભૂખની પૂર્તિ માટે કેટલાય ધમપછાડા, કેટલાય જૂઠાણા, કેટલાય કાવાદાવા કરવા પડે.
આ ગણિતને નજરમાં રાખીને પ્રાચીનકાળના માનવો ભોગલમ્પટ બનતા નહિ. બેશક, ભોગની વાસના જાગતી પણ એની શાંતિ માટે ગુમડાંને મલમના લેપની જેટલી જ ભોગસામગ્રીને સ્પર્શ કરતા... ભોગવાસનાના ગુમડાને મલમના લપેડા થોડા જ કરાય!
વર્તમાન અંધાધૂંધીને જો શાંત કરવી હોય તો સર્વને મોક્ષાભિલાષી બનાવવા પડશે. પછી અંધાધૂંધીનું મૂળઃ ભોગલમ્પટતાઃ આપોઆપ નાશ પામી જશે.
મોક્ષની અભિલાષા પ્રગટ્યા વિના જીવનમાં મળે; શાંતિ કદાપિ નહિ
સુખ
આત્માનો સર્વકર્મથી મોક્ષ પામવાનો ઉદ્દેશ જ્યાં સુધી નજરમાં સ્થિર બનીને બેસી નહિ જાય ત્યાં સુધી કોઈ પણ આત્મા શાંતિ તો નહિ જ પામી શકે. હા, સદ્ભાગ્યે સુખની સામગ્રી પામી જાય એ બાબત ખૂબ સંભવિત છે. આવું વિધાન કરવા પાછળ ચોક્કસ તર્ક કામ કરે છે.
સામાન્યતઃ મોક્ષની તાલાવેલી જાગે તો જ સદ્ગતિમાં જવાની ઈચ્છા જાગે. મોક્ષ મેળવવા માટે દુર્ગતિઓમાં ગમન તદ્દન નકામું છે.
સદ્ગતિ પણ મરણ વખતની સમાધિ વિના મળી શકતી નથી; માટે સદ્ગતિનો ચાહક મરણને મહોત્સવ જેવું સુંદર બનાવવા માટે તત્પર હોય જ.
મરણ પણ ત્યારે જ સુંદર બને જ્યારે જીવન સુંદર હોય.
સુંદર જીવન એટલે શાંત જીવન. સુખ કે દુ:ખની સામગ્રીને જીવનના સૌંદર્ય