Book Title: Nahi Aiso Janam Bar Bar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 265
________________ નહિ એસો જનમ બાર-બાર અનંતી ધર્મક્રિયાઓ કરી. હથોડા મારમાર કર્યા પણ જ્યાં મારવાનો હતો ત્યાં તો કદી ન માર્યો. હવે સદ્ગુરુ એને સમજાવે છે કે ધર્મક્રિયાની હથોડીની ચોટ તો મનના રાગદ્વેષ ઉપર જ મારવી જોઈએ. એ વિના ગમે ત્યાં હથોડા મારવાથી કાંઈ જ ન વળે. પચાસ વર્ષ સુધી-લગાતાર-પાણીમાં વલોણું ફરે તો ય માખણ ન નીકળે તે ન જ નીકળે. વાદળ શા સંતો! ખારું પીને મીઠું જલ વરસાવે અષાઢી વાદળો જોયા છે ને! કેવા કાળા ડીબાંગ! કેવો આડંબર! ને પાણીથી છલોછલ ભરપૂર! સમુદ્રના ખારા પાણી પીએ એ બાપડા? અને મીઠું-મધ જેવું બનાવીને વરસાવી દે આ ધરતી ઉપર. જે મુનિઓને ઉપદેશ દેવાની ફરજ પડી છે એમના જીવન ઉપર નજર કરીએ ત્યારે આ વાદળ યાદ આવે છે. નવા જૂઠા જમાનાના બુદ્ધિજીવી લોકોના દિમાગમાં ધર્મતત્ત્વ ઠસાવવું એ લોઢાના ચણા ચાવવા જેટલું કઠિન કાર્ય છે. એમના જમાનાનું ખંડન કરી દેવા માટે એમના જ આકર્ષક બીબાઓમાં ધર્મતત્ત્વને ગોઠવીને, એ ધર્મતત્ત્વનું પ્રતિપાદન કરવાનું રહે છે. આ માટે ઉપદેશકોને નવા જમાનાના બધા ય પવનોથી વાકેફ રહેવાનું મહાભયંકર સાહસ કરવું પડે છે. ટૂંકમાં કહું તો; બધી બાબતોના જ્ઞાનનું ઝેર જ પીવું પડે છે. - જો ગુરુકૃપા પ્રાપ્ત ન થઈ હોય તો એ ઝેર જાતને મારી નાખ્યા વિના રહે જ નહિ. સિનેમા; રાજકારણ, ક્રિકેટ, ક્લબોની જાણકારી મેળવવી એ શું વાઘની બોડમાં હાથ નાંખવા જેવું ઘોર દુઃસાહસ જ નથી? ગુરુકૃપાને પામેલા મહાત્મા જ નીલકંઠ બની શકે છે. જેઓ પીધેલા ઝેરને પોતાના ગળે જ સાચવી રાખે છે. નથી જીવનમાં ઊતરવા દેતા; અને રજૂઆતની ભૂલ દ્વારા નથી જગતમાં ફેલાવા દેતા. અગણિત વંદન હો, એ વિરલ વિભૂતિઓને!

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300