Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 39 તપનું તેજ ‘બરાબર એક અગરબત્તી વેચનાર નમૂના તરીકે બે અગરબત્તી આપી ગયો. મોગરા અને ચંદનની !' ‘પછી એને પૈસા આપ્યા?' 'કોઈ નમૂના તરીકે આપે તેના પૈસા ન લે.” “દીકરા, મફત લઈને તેં એનું ઋાગ માથે ચડાવ્યું. એ ઋણ ફેડવા માટે મનુષ્ય બીજો જન્મ લેવો પડે છે.' “પિતાજી, એમ કેમ ન હોય કે ગયે જન્મ મેં એના પર ઋણ ચડાવ્યું તે ફેડવા એ મફત આપી ગયો.' સમજવું કે આમ હશે અને તેમ હશે તેમાં જ મનુષ્ય ભૂલથાપ ખાય છે.” તો એ પાછો આવવાનો છે ત્યારે આ બે સળીના પૈસા એને આપી દઈશ ને બીજી ઘણી ખરીદી લઈશ.' ઘણી નહીં, ખપ પૂરતી જ.' એ સાંભળી શિવાનંદાએ કહ્યું, “લેવા દો ને, આપણી સમૃદ્ધિ ક્યાં ઓછી છે! અઢાર કોટિ હિરણના નિધાનના તમે ધાણી છો, દસ હજાર ગાયોવાળાં છ છ ગોકુલ છે. પુત્રને પોતાની ઈચ્છા પૂરી કરવા દો.' ‘ગૃહિણી, મારો દેહાંત થતાં આમાંની કેટલી સમૃદ્ધિ મારી સાથે આવશે?' એવું અમંગળ ન બોલો.' શિવાનંદાએ હાથો વડે પોતાના કાન બંધ કરી દીધા પણ આનંદે સનાતન સત્ય કહ્યું,” “દેવાનુપ્રિયા! મૃત્યુ અમંગળ નથી. જ્યારે એની આલબેલ વાગે ત્યારે એ મંગલમયનું સ્વાગત કરવું ઘટે. પુત્ર, જે સંપત્તિ આવવાની નથી એનાથી તો અનાસકત રહેવું જોઈએ. ધનધાન્ય, પત્ની, પરિવાર, રાજ્ય, બધું ક્ષણભંગુર છે. કષાયોથી કલુષિત થઈ હદય અહીં તહીં ભટકી લોક તેમજ પરલોકમાં અટવાયા કરે છે. મૃત્યુ થતાં ઘરની ડહેલી સુધી સાથ દેનારી પત્ની, ચિતા સુધી સાથ દેનારા સગાસંબંધી એ નિ:સારતાને વિચારો એમાં જ કલ્યાણ છે.' ‘તો કરોડોની સંપત્તિ એકત્ર કરી શા કાજે?' | ‘પરહિત કાજે. સંપત્તિનો મોટો ભાગ વારસામાં પ્રાપ્ત થયો અને પછી પૈસો પૈસાને ખેંચી લાવે તે અનુસાર વૃદ્ધિ થતી ગઈ પણ તું જાગે