Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ તરફ મારી લાગણી પૂરતી છે.' શ્રી મોતીચંદભાઈ માત્ર નામથી જ નહિ, કર્મનિક જીવનસાગરનાં પણ નોતી જ હતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય તેમને હંમેશ એની માળામાં પરોવીને પ્રસન્નતા અનુભવે છે. સંસ્થાનાં પુસ્તકાલયની વાત કરીએ ત્યારે એક નામ યાદ આવ્યા વગર રહેતું નથી. એ નામ છે એવી વ્યક્તિનું જેમણે પચાસ કરતાં પણ વધુ વર્ષે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની અવિરત સેવા કરી છે. તેઓ પ્રારંભમાં સંસ્થાના સુપ્રિન્ટેન્ડેન્ટ હતા. પછી રજિસ્ટ્રાર પદે આવ્યા અને પછી ડાયરેકટર તરીકે રહ્યા. કુશળ વહીવલ્કત અને શિસ્તની દઢ આગ્રહી એવી એ વ્યક્તિ હતી શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા. એમની અદભુત અને સક્ટ્રિક સેવાઓને લક્ષમાં રાખીને સંસ્થાના સમૃદ્ધ પુસ્તકાલયને તેમનું નામ આપવામાં આવ્યું છે. આ માટે સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શુભેચ્છકો તરફથી રૂપિયા અઢી લાખનો ફાળો એકત્રિત થયેલ હતો. શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું રત્ન છે શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, સને ૧૯૫૩થી 1972 સુધીનાં વર્ષો દરમિયાન તેઓ વિદ્યાલયના મંત્રીપદે રહીને સફળ યાત્રાના સુકાની બન્યા હતા. તેમના હોદ્દા દરમિયાન વિદ્યાલવ્યની શાખાઓના વહીવટી આયોજનમાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. તેમના અને સરસ્વતીના ઉપાસક એવા શ્રી ચંદભાઈએ સારી એવી કામગીરી બજાવી હતી. આ બધાંય વર્ષો એમણે આપેલી સેવાનાં સત્કાર્યો સમાં હતાં. વિદ્યાલયના ઇતિહાસના પાને શ્રી ચંદુભાઈ યાદગાર રહેશે. કોઈપણ જાહેર સંસ્થા માટે હિસાબી કામકાજ મહત્ત્વની વાત હોય છે. સદ્ભાગે વિદ્યાલયને હિસાબી કામકાજમાં અત્યંત ચીવટ રાખનાર ચંદુભાઈ સારાભાઈ મોદી જેવી વ્યક્તિ મળી હતી. તેમણે વિદ્યાલયનો રોજમેળ અને તેની રોકડ રકમ ચકાસવાની પદ્ધતિ દાખલ કરી હતી જે પ્રથા આજે પણ અમલમાં રહી છે. આ ઉપરાંત તેઓ સંસ્થાનો પત્રવ્યવહાર, વિદ્યાર્થીઓના પ્રવેશ તથા શિષ્યવૃત્તિ વગેરેનાં અરજીપત્રકો પણ અત્યંત બારીકાઈથી તપાસી યોગ્ય માર્ગદર્શન આપતા. તેઓ સ્પષ્ટવક્તા હતા અને સંસ્થાના હિત માટે