Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 366
________________ 345 શ્રી મહાવીર જૈન વિદ્યાલય : એક ઝલક દેશ-વિદેશમાં પ્રતિષ્ઠા અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સુખી તથા સફળ જીવન જીવવાની સાથે સાથે તેઓ સમાજસેવા અને દેશસેવાના ક્ષેત્રે પણ અગ્રિમ ભૂમિકા નિભાવી રહ્યા છે. સંસ્થામાં રહેવાથી તેમનામાં જે ધર્મના સંસ્કારો દઢ થયા હતા તેના ફળરૂપે તો કેટલાક વિદ્યાથીઓએ દીક્ષા ગ્રહણ કરી બની રહે છે. કહેવાયું છે કે ધર્મ વગર દર્શન કે તત્વજ્ઞાન ટકી શકતું નથી, અનુયાયી વિના ધર્મ ટકી શકતો નથી અને કેળવણી વિના અનુયાયી ટકી શકતા જયવંતું બની શકતું નથી. તે માટે તો જરૂરત છે જાગૃત જૈન સમાજના નિર્માણની. કેળવણી જ સમાજમાં જાગૃતિ લાવી શકે છે અને શિક્ષિત યુવા પેઢી જ સુદઢ સમાજવ્યવસ્થા ઊભી કરી શકે છે. “જૈન સમાજની યુવા પેઢીની કેળવણીના સવાલને માત્ર આપત્તિધર્મ તરીકે સ્વીકારવાનો નથી પણ સમયધર્મ તરીકે સ્વીકારવાનો છે” એવું ઐતિહાસિક વિધાન કરનાર શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આદ્યપ્રેરક, યુગદર્શી, ક્રાંતિદ્રષ્ટા અને જૈન શાસનના પ્રભાવક જ્યોતિર્ધર પ. પૂ. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબનો આ ઉપદેશસાર આજે પણ એટલું જ ઐચિત્ય ધરાવે છે. આપણે આજે આનંદ અને ગૌરવની ભાવના સાથે નિ:શંક કહી શકીએ છીએ કે મા શારદા અને મા લક્ષ્મીનું સુભગ મિલન કરતી અનુપમ, તેના અમૃત મહોત્સવના પાવન પ્રસંગે તેની પ્રેરણામૂર્તિ બનેલા આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીને, તેના વિકાસમાં નિમિત્ત બનેલા અનેક દાનવીરો, સમાજસેવકો, કાર્યકરો અને મહાનુભાવોને વંદના કરીએ. અહીં વિદ્યાલયની વિકાસકથાની એક ઝલક આપવાનો જ મારો નમ્ર પ્રયાસ છે. આ સંસ્થા આપણા જીવનમાર્ગમાં પ્રેરક બની રહે તે દષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને, ભૂતકાળમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં, સંસ્થાના વર્તમાન તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સભ્યો અને શુભેચ્છકોના સંમેલનમાં આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ ઉચ્ચારેલી ગૌરવભરી, પ્રેરણાદાયક અને શુભેચ્છાભરી વાણી (“આદર્શ જીવન”, પૃષ્ટ ૮૦૩)થી આ ઝલકને પૂર્ણ કરું છું.

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408