Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 183 શિક્ષણ અને નૈતિકતા આજનું શિક્ષણ કે જે પાશ્ચાત્ય પેદાશ છે તેમાં નતિક્તાનાં મૂલ્યોનો હાસ થયો છે. મર્યાદાઓ તૂટી છે. આજે વ્યક્તિવાદ અને અસ્તિત્વવાદના નામે વ્યક્તિ સ્વાર્થાન્ય બની છે. પરિણામે માનસિક રોગની શિકાર બની છે. ગાંડપણ વધ્યું છે. અનેક શારીરિક બીમારીથી પીડાય છે. ધને તેની શાંતિ હરી લીધી છે. સ્વતંત્રતાનાં 45 વર્ષ પછી પાગ આપણે આપાગા શિક્ષાગને આપાગી જરૂરિયાત અને જળવાયુ-સંસ્કારો મુજબ બનાવી શક્યા નથી. અંગ્રેજો ગયા પણ નવશિક્ષિત ભારતીયો સવાયા અંગ્રેજ બન્યા છે. તેમની નીતિ, રોગીકરાણી વધુ ખતરનાક છે. આજે દેશમાં ચીલાચાલુ અંગ્રેજીપરા શિક્ષાગે નોકરો પેદા કર્યા અને તે એટલા બધા પ્રમાણમાં કે નોકરીની જગ્યાઓ કરતાં અનેક ગણી સંખ્યા વધી. પરિણામે બેકારી વધી. બેકારીને કારણે અનેક ગુન્હાહિત પ્રવૃત્તિઓ વધી. અનૈતિક ધંધાઓ વધ્યા. ચોરી-કેતી વધી. હત્યાઓનો સિલસિલો વધ્યો અને બેકાર યુવાનો રાજનીતિના હાથા બન્યા. જેથી વધુ અંધાધૂંધી ફેલાઈ. જેઓ સત્તા પર આવ્યા તેઓ ભ્રષ્ટાચારી બન્યા. ઘર ભરવા અને પૈસા બનાવવામાં તમામ નંતિક સ્તરો તોડ્યા. રાજનીતિ ભ્રષ્ટાચારથી ખદબદવા લાગી. રાજા જે પ્રજાનો પિતા-હિતરક્ષક ગણાતો તે ભક્ષક બન્યો. વેપારી જે સમાજને પોષાગ આપતા તે ચોરબજારી, કાળાબજારી, સંગ્રહખોરી અને મિલાવટથી લોકોના જાનની દુમિન બન્યો. ગુંડાઓ ફાલ્યા કૂલ્યા. આ ગુંડાઓ રાજનીતિનો આશ્રય પામી વિફર્યા. વિદ્યાથી ડીગ્રી પ્રાપ્ત કરી નિરાશ થયો કારણકે શિક્ષણમાં કોઈ કૌશલ્ય અપાતું જ નહિ. ઊલટું મનોવિજ્ઞાન, મનોવિશ્લેષાગના નામે જાતીય શિક્ષણ અપાવા લાગ્યું. કાચી ઉંમરે આવાં જાતીય શિક્ષણે ચારિત્રખલન કરાવ્યું. અનેક શારીરિક રોગો, વ્યસને તરફ યુવા પેઢી વળી. ભોગ-વિલાસ-વાસના અને વ્યસનની ચંડાળ ચોકડીએ સર્વનાશ શે. પરિણામે કૌટુંબિક ભાવને નાશ પામી, કુટુંબ તૂટયાં. આજે આપણે દેશ અને વિશ્વની જે દશા જોઈ રહ્યા છીએ તેની પાછળ જો કોઈ જવાબદાર હોય તો તે છે વર્તમાન શિક્ષણ. વર્તમાન શિક્ષાગે માનવની એષાગા વધારી છે. કામભાવનાને ઉત્તેજિત કરી છે. નૈતિક મૂલ્યોનું હનન કર્યું છે. માનમર્યાદાની લક્ષમણરેખા પાગ ભૂંસી નાખી છે. આજે ગુરુ-શિષ્યની શિષ્ટતા કે વડીલો પ્રત્યેની સમાજની ભાવના કયાં છે? વર્તમાન ટીવીએ જે થોડી ઘણી કસર હતી તે પૂરી કરી છે. આજે