Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 358
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય : એક ઝલક 337 પ્રમાણે સંસ્થાને એમનું પ્રિન્સેસ સ્ટ્રીટ પરનું શ્રી દેવકરણ મેન્શન ભેટ ધર્યું. એ વસિયતનામાની વિગત પ્રમાણે ૧૯૩૭થી ૧૯૪૧ની ર૯મી ઑગસ્ટે રૂપિયા પાંચ લાખ બોત્તેર હજાર નવસો છેનું જેવી રકમ મેળવીને દેવકરણ મેન્શનનો કાયદેસરનો કબજો મેળવ્યો. 1955-58 દરમિયાન તેના પર ત્રીજો માળ ચણવાનો ખર્ચ થયો પણ આખરે સંસ્થાના ખર્ચના અંદાજપત્રને પૂરું કરવામાં દર વર્ષે લગભગ એક લાખ રૂપિયાની ચોખ્ખી આવક દેવકરણ મેન્થને કરી આપી. આચાર્યશ્રીના આશીર્વાદ, મહાવીર જૈન વિદ્યાલય સમિતિનો પુરુષાર્થ અને સમયની માગ આ બધું શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વહેતી ગંગા બની. અને આચાર્યશ્રીએ કાઢી આપેલ મુહૂર્ત મુજબ તા. 9 જૂન 1946 ના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની અમદાવાદ શાખાનો પણ જન્મ - થયો. એ શાખામાં તે વખતે જ વિદ્યાર્થીઓ જોડાયા હતા. એક વર્ષ બાદ અમદાવાદમાં શ્રી ભોળાભાઈની અર્ધપ્રતિમાની અનાવરણ વિધિ સરદારશ્રી વલ્લભભાઈ પટેલને હસ્તે થઈ. આ પ્રસંગે સરદારશ્રીએ કહ્યું હતું : કેળવણીને કોઈ મર્યાદા નથી. જગત આખું જ મહાવિદ્યાલય છે. માણસને જિંદગીની આખર સુધી નવું નવું શીખવાનું મળે છે. એટલે કેળવણીનો કોઈ અંત નથી. સમયને અનુકૂળ જ્ઞાન મેળવવું એ ધર્મ છે. આ સંસ્થામાં જૈન ધર્મને શિક્ષણની વ્યવસ્થા છે. એ સારી વાત છે. આજની કેળવણીમાં ધર્મને સ્થાન નથી એમ કહીએ તો ચાલે. આ વિદ્યાલયમાં જૈનધર્મનાં મૂળ તત્ત્વો ભણવાની વ્યવસ્થા છે તે વિશેષ અગત્યની વાત છે. સાચી વિદ્યા મળે તો સખાવત કરનારને પણ સંતોષ થાય.” શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શાખાઓ ત્યારપછી વિભિન્ન સ્થળોએ ખૂલતી જ રહી. આ રહ્યો તેનો ક્રમ : સંસ્થાની શાખાઓ નામ શ્રી વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થીગૃહ તારીખ : 9-4-1926 શ્રી ભોળાભાઈ જેસિંગભાઈ વિદ્યાથીંગૃહ તારીખ : 9-6-1946 મુંબઈ : અમદાવાદ :

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408