Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 254 માધવાનલ કામકુંદલા ચોપાઈમાં વીણાના સ્વરોમાં તલ્લીન (બનેલા રથવાહન હરણને લીધે) નિશાપતિ ચંદ્ર થંભી ગયો છે. કર્ણપ્રિય સ્વરોને પવન વહી ન જાય એટલા માટે સ્ત્રી વાયુનો ભક્ષ કરનાર સર્પને ચીતરે છે. ચંદ્રનું વાહન મૃગ નાસે (અને રાત જલદી પૂરી થાય) તે માટે સ્ત્રી સિંહ ચીતરે છે. (સિંહ હરણનો શિકાર કરે છે.) માધવનો પ્રશ્ન (ગાથા) संझावंदण-समये बाला दठ्ठण अंबरं रत्तं। हसिअ पुणो विसण्णा, पुण हसिय कवण कज्जेण // 23 // સંધ્યાવંદનને સમયે બાલાએ અંબરને રાતું જોયું. તે હસી, પણ વળી ખેદ પામી. ફરી વાર તે હસી તે શા કારણે? કામકુંદલાનો ઉત્તર અંબર (આકાશ) રાતું જોઈને થતાં તે હસી. પણ આકાશ વધુ રાતું બનતાં, દિવસ તો લંબાયો એ ખ્યાલે તે ખેદ પામી. પણ આકાશની રતાશ ઓસરવા માંડી ત્યારે રાત હવે ટૂંકડી જ છે એ વિચારે અને પોતે નકામો ખેદ કર્યો એમ માની તે ફરીથી હસી. | (સંપતવિજયજી સ્ત્રીએ પહેરેલ રાતા વસ્ત્રની સાથે આકાશના પલટાતા રંગોની તુલના કરી તેના હાસ્ય, ખેદ અને ફરી વાર હાસ્યને સમજાવવા મથ્યા છે.) માધવનો પ્રશ્ન (દુહો). પસુ જિમ પુલિંદઉ જલ પીએ પંથી કહિ કારણ કવણિરા પશુની માફક ભીલ રસ્તે પાણી પીએ છે શા કારણે?ોરા કામકુંદલાને ઉત્તર કર બેઉ કરંબીય કક્કલહ, મુદ્રહ અસર-નિવારણિ. તેના બેઉ હાથ કાજળથી ખરડાયેલા હતા. તેની અસર નિવારવા માટે તેણે એવી મૂર્ખાઈ કરી.