Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 296 અમૃત મહોત્સવ સ્મૃતિ વાં તમે દૂર કરો, જેથી હું સત્યદર્શનનો અધિકારી બનું.” વળી મુમુક્ષુ-જન સૂર્યાન્તર્ગત પરમાત્મા અને પોતાની એકતાનું પ્રતિપાદન કરતાં વર્ણવે છે. “પૂષ ! યમ! સૂર્ય! પ્રજ્ઞાપત્ય! ચૂદ, રમીનું સમૂહ, तेजो यत्ते कल्याणतमं तत्ते पश्यामि योऽसावसौ पुरुषः सोऽहमस्मि / હે જગતના પોષક, એકાકી ગમનશીલ, સર્વનિયન્તા, પ્રજાપતિસુત સવિતા, તમારા પ્રખર કિરણો દૂર કરો જેથી હું તમારી અંદર રહેલા કલ્યાણતમ રૂપને પરમાત્માને દેખું આ કલ્યાણતમ પરમાત્મા જે તમારા મંડળમાં રહી તમને તેજોમય બનાવે છે, તે અને હું જુદાં નથી. અર્થાત તે યે પુરુષ છે ને હું પણ શરીરરૂપી પુરમાં વસનાર પુરુષ જ છું.’ સૂર્ય શબ્દની વ્યુત્પત્તિનો વિચાર કરતાં તે જેમ સર્વજનક છે એમ સુવતિ ળિ તો પ્રવર્તત કૃતિ સૂર્ય:' અર્થાતું સમગ્ર વિશ્વને કર્મમાં પ્રેરિત કરે છે માટે તે સૂર્ય કહેવાય છે, એટલે કે કર્મપ્રવર્તક પણ છે. તેજસ્તત્વનાં ત્રણ રૂપ છે: (1) આધ્યાત્મિક અર્થાત્ શરીરાન્તર્ગત ચક્ષુ (2) આધિભૌતિક અર્થાત પંચમહાભૂતાન્તર્ગત અગ્નિ અને (3) આધિદૈવિક અર્થાત્ દેવસ્વરૂપી “આદિત્ય’ જેને આપણે સૂર્ય કહીએ છીએ. આ આધિદૈવિકરૂપ જ બ્રહ્મા, વિષગુ અને શિવનું સ્વરૂપ છે. શાસ્ત્રો સૂર્યને પરમાત્માની આંખ કહે છે. સંસ્કૃતમાં આંખને “નેત્ર' કહે છે, જેનો અર્થ નાયક, અગ્રણી, તેમજ દોરનાર એમ થાય છે. આંખ વસ્તુને દર્શાવે પછી પગ તે તરફ ચાલવા માંડે છે અને હાથ પકડે છે. મન પણ આંખે બતાવેલી વસ્તુને લેવી કે તજવી એમ વિચારે છે. આમ વ્યક્તિપિંડમાં થતી ક્રિયાઓનું પ્રેરક નેત્ર જ આધ્યાત્મિક સૂર્ય છે. આ જ કાર્ય સમષ્ટિપિંડ એટલે કે જાગતિક પ્રાણીઓના સંદર્ભમાં સૂર્ય કરે છે. સૂર્યને પરમાત્માનું નેત્ર કહ્યું છે કારણકે પરમાત્મા પાણ પાંચભૌતિક વિશ્વનું દર્શન તેમજ તેને પ્રેરણા સૂર્ય દ્વારા જ કરે છે. કાલિદાસ કહે છે, “સૂર્ય અને તેના તેજથી પ્રકાશતો ચંદ્ર, આ બે દીવડા લોકોની પ્રવૃત્તિ તેમજ નિવૃત્તિના નિયામક છે. “તો નિયત ફુવારાપુ'' (શાકુન્તલ) એ તો સર્વવિદિત છે કે સૃષ્ટિનું સર્જન સૂર્ય વિના સંભવી શકતું નથી. સર્જિત સૃષ્ટિની હયાતી કે પ્રવૃત્તિ પણ સૂર્ય વિના કલ્પી શકાતી નથી. જેલમાંથી વરાળ અને વરાળમાંથી ફરી જલ, આ બધું પરિવર્તન, રૂપાન્તરોની આ ઘટમાળ, સૂર્યને લીધે જ