Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ જીવનમાં સૂર્યનું મહત્ત્વ 295 तमसो मा ज्योतिर्गमय। मृत्योर्माऽमृतं गमय॥ शतपथब्रा० 14-4-130 અસત્યમાંથી સત્ય, મૃત્યુમાંથી અમૃતત્વ અને અંધકારમાંથી જ્યોતિ તરફ જવા માટે જ્યોતિ સ્વરૂપ સૂર્ય જ એકમાત્ર શરણ છે. સૂર્યનારાયાણ સૃષ્ટિને પોતાના કૃિપાપ્રસાદથી પુષ્ટ કરતા રહે છે. પ્રાણીઓના ઉલ્લાસપૂર્ણ જીવનવ્યવહારને નિહાળી આ પરમ પિતા કેટલા આનંદમય બની જાય છે! વળી સૂર્યમાં જ પરમાત્માનું મંગલદર્શન કરનાર ઋષિ હર્ષોન્મત્ત બની પ્રાર્થે છે. ॐ चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्व वरुणस्याग्नेः / आ प्रा द्यावापृथिवी अन्तरीक्षं सूर्य आत्मा जगतस्तस्थुषश्च।। શુ. . 7.2 જે સુર્યદેવ તેજોમય કિરણોનો ભંડાર છે, વરુણ અગ્નિ મિત્ર તથા સર્વ પ્રાણીઓનું જે નેત્ર છે, જે સ્થાવર-જંગમ-સૌના અન્તર્યામી છે, આત્મા છે, એવા ભગવાન સૂર્ય આકાશ પૃથ્વી અને અંતરિક્ષ-લોકને પ્રકાશથી ભરી દેતા આશ્ચર્યમય સ્વરૂપે ઊગી રહ્યા છે.” શુલ્યજુર્વેદના દ્રષ્ટા ઋષિ વળી આનંદવિભોર થઈને સૂર્યનો મહિમા વર્ણવતાં એને પરમ પ્રાપ્ય પરમાત્મા કહે છે : ॐ उद्वयं तमसस्परि स्वः पश्यन्त उत्तरम्। देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् / / ર૦-ર સવિતા દેવ! અમે અંધકારથી ઉપર ઊઠી સ્વર્ગલોકને અને દેવોના દેવ આપને સારી રીતે નિહાળીએ અને સર્વોત્તમ જ્યોતિર્મય પરમાત્માને પ્રાપ્ત થઈએ', બૃહત્યારાશર સ્મૃતિ સૂર્યને 6 સર્વથા ઉપાસીને જીવનને તેજસ્વી અને સમૃદ્ધ બનાવે છે, કારણ કે સૂર્ય તેજોમય છે તેમજ સર્વસમૃદ્ધિનો સર્જક છે. તેજથી મનોમળ બળી જતાં, અંત:કરણ શુદ્ધ થતાં, સાધકને આત્મદર્શનની અભિલાષા જાગે છે. તે માટે અડચણરૂપ બનતાં જન્મજન્માંતરનાં ઈશાવાસ્યોપનિષમાં સ્પષ્ટ કરાઈ છે. "हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्। तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये''। ईश. 15 હે સર્વપોષક સવિતા, આંજી નાખતી ભૌતિક સંપદાથી સત્યસ્વરૂપ પરમાત્મા ઢંકાઈ ગયા છે તો એ ઢાંકણ અર્થાત્ ભૌતિક કામનાઓના આવરાગને