Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 315 વિશેષણરૂપે છે. “અનાર્ય’ શબ્દ તેર વાર વપરાયો છે. ત્યાં એ ‘અસંસ્કારી અર્થમાં છે. એટલે ભારતીય સમગ્ર પરંપરામાં ‘શિષ્ટ' સમાનનીય' (માનપાત્ર) અર્થ “આર્ય' શબ્દ આપતો રહ્યો. સંસ્કૃત નાટકોમાં ‘સસરા માટે આર્ય શબ્દ રૂઢ છે. શિષ્ટ નાયિકા પોતાના પતિને “આર્યપુત્ર' એ દષ્ટિએ જ કહે છે. આવા સંસ્કારી લોકો આવીને વિકસ્યા તે પ્રદેશ આર્યાવર્ત! મનુસ્મૃતિ (2.22) તો પૂર્વ સમુદ્રથી લઈ પશ્ચિમ સમુદ્ર સુધીનો હિમાલય અને વિંધ્ય ગિરિમાળા વચ્ચેનો ભાગ તેને ડાહ્યા લોકો “આર્યાવર્ત સમજે છે એવું જણાવે છે. ત્યાં એ સંસ્કારી લોકોનો પ્રદેશ, જ્યારે વાસ્તવમાં એ ઉપરનો પ્રાચીનતમ ઈલાવર્ત’ ગાંરાંગ પ્રજાનો પ્રદેશ. આ વ્યાખ્યામાં વિંધ્ય ગિરિમાળા નીચેનો દક્ષિણ ભૂખંડ જુદો પડે છે તે દ્રવિડ દેશ. પાર્જિટરથી અમેરિકાની આદિમ જાતિઓ વિશેના અજ્ઞાનને કારણે એક ભૂલ થઈ ગઈ છે. આ ભૂલ એ કે એ “સૂર્યવંશ'ને દ્રવિડ કહે છે. સમજવા જેવી વાત એ છે કે ઈ. પૂ. ૧૮મી સદીથી લઈ ૬૦મી સદી સુધીના ‘હિમયુગ'ના ચાર સૂકા ગાળાઓમાં પૂર્વ એશિયામાંથી ગયેલી પ્રજા “મૉન્ગૉલોઈડ” છે, એનો મુખ્ય દેવ સૂર્ય છે અને એના ગુરુઓને સૂર્યના અવતાર કહેવામાં આવે છે. મૉન્ગોલૉઈડ એ 'પીતાંગ પ્રજા', જ્યારે ભારતીય ઉપખંડના વિંધ્યની દક્ષિણના સુકાયેલા સમુદ્ર પછીના તથા હિંદ મહાસાગર અને પ્રશાંત મહાસાગરના લીપોમાં વસતા - વિષુવવૃત્તની ઉપર નીચેના ભૂમિવિસ્તારના લોકો સ્રોલોઈડ થામાંગ છે, જે ભારતીય પરિભાષાના દાનવ' છે. આમાંથી રહસ્ય એ નીકળે છે કે વાસ્તવમાં સૂર્યવંશ' પીંતાગ પ્રજા છે. પાર્જિટરે ‘સૂર્યવંશીયો” માટે માન્ય’ શબ્દ પ્રયોજયો છે. જે વિવસ્વાન (સૂર્ય)ના પૌરાણિક પુત્ર ‘મન’ના વશંજો તરીકે જોવા મળે છે. આપણે માનવ” શબ્દ સમગ્ર સૃષ્ટિના લોકોને માટે પ્રયોજિયે છીએ ('મનુજ' ‘મન’ શબ્દો પણ) તે વાસ્તવમાં આરંભે સૂર્યવંશીઓ માટે હતો, જે “ચંદ્રવંશ” “સૂર્યવંશ” અને “દનુવંશ' જ માત્ર નહિ, અલગ પડી જતી આફ્રિકાની પોઈડ' અને કન્ગાઈડ' પ્રજાનો પણ વાચક બની ગયો. પોરાણિક ગાથા પ્રમાણે અગમ્ય ઋષિએ સમુદ્રપાન કર્યું અને દક્ષિણનો ભારતીય ઉપખંડ ઉત્તરીય ઉપખંડ સાથે વ્યવહારમાં જોડાઈ ગયો આને કારણે ઉત્તરની પ્રજા દક્ષિણમાં જતી થઈ અને દક્ષિણની પ્રજા ઉત્તર પૂર્વ-પશ્ચિમ ભારતીય ઉપખંડમાં ફેલાતી રહી. 'સૂર્યવંશીય’ પીતાંગ ‘માનવ” પ્રજા અને ‘દનુવંશીય' શ્યામાંગ ‘દાનવ' પ્રજાનું સમગ્ર ભારતીય ઉપખંડમાં વેદકાલ પૂર્વે