Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 340
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 319 આપણા મોઢામાં કોઈ કડવી ચીજ રાખીને પછી દુનિયાની ઉત્તમ મિઠાઈ ખાવા માટે મોઢામાં મૂકીએ તો તેનો સ્વાદ મીઠો નહિ પણ કડવો જ આવશે. મધુર સ્વાદ લેવા માટે પહેલાં મોઢામાં મૂકેલો કડવો પદાર્થ બહાર ફેંકી દેવો જોઈએ. તેવી રીતે જગતની મધુરતા, સૌંદર્ય અને સરસતા અનુભવવા મનના પૂર્વગ્રહો, કડવાશ અને કટુતા બહાર ફેંકી દેવાં જોઈએ. આ તો દૈનિક જીવન-વ્યવહાર અને સામાજિક વ્યવહાર અને પ્રતિભાવોની વાત થઈ. જ્ઞાન બાબતમાં પાંગ મનને આમ શુદ્ધ કરવું પડે છે. ગુર પાસે જાવ ત્યારે, તે પહેલાં મનમાં પડેલા વિવિધ સંસ્કારોને એક બાજુ કરીને, કોરી પાટીની જેમ તેમના ચરણમાં બેસો તો તેમની વાણી, ઉપદેશો, યોગ્ય રીતે ગ્રહણ કરી શકો. તમારા મનમાં રહેલા પૂર્વના ઉપદેશો, જ્ઞાન, પૂર્વગ્રહ, અહંભાવ એ બધું ઉલેચીને સાવ નવાનક્કોર મન સાથે જ્ઞાનપ્રાપ્તિનો આરંભ કરવો જોઈએ એમ શાસ્ત્ર કહે છે. એનો અર્થ એ નથી કે અનુભવેલું ગ્રહણ કરેલું બધું જ્ઞાન ભૂલી જવું. પણ જે ક્ષણે જે વાતાવરણમાં જે કાર્ય માટે ગયા છો ત્યાં તાજા થઈને નવીન બાળક જેવા થઈને જાવ. આ વિષય ઉપર ‘વીરાયતન” રાજગૃહીના મુનિશ્રી ઉપાધ્યાય અમર મુનિએ (જેઓ થોડા સમય પહેલાં જ કાળધર્મ પામ્યા છે,) તેમના ચિંતન-લેખોના પુસ્તક-, “ચિંતનકે ઝરોખેસે'માં એક સુંદર ચર્ચા કરી છે. લેખનું શીર્ષક છે. * મનકો યથાપ્રસંગ ખાલી કરતે રહીએ ! મુનિશ્રી લખે છે | કહે મંદિરો તથા ઉપાશ્રયમાં પ્રવેશતી વેળા ‘નિસીહિ' ‘નિસીહિ' એમ કહેવું જોઈએ, એવી એક વિધિ છે જેન ધર્મના આચારગ્રંથોની. રૂઢિચુસ્ત ધાર્મિક સજ્જનો દ્વારા આજ પણ કદાચ એ વિધિ ચાલુ રાખવામાં આવી છે. આમ બોલવા પાછળ શો ઉદેશ છે? કયો આંતરિક મર્મ છે તેની પાછળ? એ વિષેનું જ્ઞાન કદાચ પૂરેપર લોકોમાં નથી. શાસ્ત્રમાં વિધિ કહી છે એટલે તેનું પાલન કર્યું, પરંતુ શા માટે તેમ બોલવાનું કહ્યું છે તે વિષે જ્ઞાન કે જાણકારી ઘણુંખરું નથી હોતી. દેવમંદિરો, ઉપાશ્રયો તથા ગુરચરાગોમાં ઉપસ્થિત થતી વખતે ‘નિસીહિ' કહેવાનો અર્થ એ છે કે હું મનમાં આમતેમ ઊડતા બાહ્ય વિકલ્પો, ધન્ધોનો નિષેધ કે નિરાકરણ કરીને, તેમાંથી મુક્ત થઈને અહીં ધર્મારાધના કરવા માટે ઉપસ્થિત થયો છું. મારા મનમાં કોઈ કૂડા-કચરાની ગંદકી નથી. એ પૂરી રીતે ખાલી છે, ભગવાન અને ગુરુની ઉપાસના માટે, એમના જ્ઞાનમય પ્રકાશને ઝીલવા

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408