________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 319 આપણા મોઢામાં કોઈ કડવી ચીજ રાખીને પછી દુનિયાની ઉત્તમ મિઠાઈ ખાવા માટે મોઢામાં મૂકીએ તો તેનો સ્વાદ મીઠો નહિ પણ કડવો જ આવશે. મધુર સ્વાદ લેવા માટે પહેલાં મોઢામાં મૂકેલો કડવો પદાર્થ બહાર ફેંકી દેવો જોઈએ. તેવી રીતે જગતની મધુરતા, સૌંદર્ય અને સરસતા અનુભવવા મનના પૂર્વગ્રહો, કડવાશ અને કટુતા બહાર ફેંકી દેવાં જોઈએ. આ તો દૈનિક જીવન-વ્યવહાર અને સામાજિક વ્યવહાર અને પ્રતિભાવોની વાત થઈ. જ્ઞાન બાબતમાં પાંગ મનને આમ શુદ્ધ કરવું પડે છે. ગુર પાસે જાવ ત્યારે, તે પહેલાં મનમાં પડેલા વિવિધ સંસ્કારોને એક બાજુ કરીને, કોરી પાટીની જેમ તેમના ચરણમાં બેસો તો તેમની વાણી, ઉપદેશો, યોગ્ય રીતે ગ્રહણ કરી શકો. તમારા મનમાં રહેલા પૂર્વના ઉપદેશો, જ્ઞાન, પૂર્વગ્રહ, અહંભાવ એ બધું ઉલેચીને સાવ નવાનક્કોર મન સાથે જ્ઞાનપ્રાપ્તિનો આરંભ કરવો જોઈએ એમ શાસ્ત્ર કહે છે. એનો અર્થ એ નથી કે અનુભવેલું ગ્રહણ કરેલું બધું જ્ઞાન ભૂલી જવું. પણ જે ક્ષણે જે વાતાવરણમાં જે કાર્ય માટે ગયા છો ત્યાં તાજા થઈને નવીન બાળક જેવા થઈને જાવ. આ વિષય ઉપર ‘વીરાયતન” રાજગૃહીના મુનિશ્રી ઉપાધ્યાય અમર મુનિએ (જેઓ થોડા સમય પહેલાં જ કાળધર્મ પામ્યા છે,) તેમના ચિંતન-લેખોના પુસ્તક-, “ચિંતનકે ઝરોખેસે'માં એક સુંદર ચર્ચા કરી છે. લેખનું શીર્ષક છે. * મનકો યથાપ્રસંગ ખાલી કરતે રહીએ ! મુનિશ્રી લખે છે | કહે મંદિરો તથા ઉપાશ્રયમાં પ્રવેશતી વેળા ‘નિસીહિ' ‘નિસીહિ' એમ કહેવું જોઈએ, એવી એક વિધિ છે જેન ધર્મના આચારગ્રંથોની. રૂઢિચુસ્ત ધાર્મિક સજ્જનો દ્વારા આજ પણ કદાચ એ વિધિ ચાલુ રાખવામાં આવી છે. આમ બોલવા પાછળ શો ઉદેશ છે? કયો આંતરિક મર્મ છે તેની પાછળ? એ વિષેનું જ્ઞાન કદાચ પૂરેપર લોકોમાં નથી. શાસ્ત્રમાં વિધિ કહી છે એટલે તેનું પાલન કર્યું, પરંતુ શા માટે તેમ બોલવાનું કહ્યું છે તે વિષે જ્ઞાન કે જાણકારી ઘણુંખરું નથી હોતી. દેવમંદિરો, ઉપાશ્રયો તથા ગુરચરાગોમાં ઉપસ્થિત થતી વખતે ‘નિસીહિ' કહેવાનો અર્થ એ છે કે હું મનમાં આમતેમ ઊડતા બાહ્ય વિકલ્પો, ધન્ધોનો નિષેધ કે નિરાકરણ કરીને, તેમાંથી મુક્ત થઈને અહીં ધર્મારાધના કરવા માટે ઉપસ્થિત થયો છું. મારા મનમાં કોઈ કૂડા-કચરાની ગંદકી નથી. એ પૂરી રીતે ખાલી છે, ભગવાન અને ગુરુની ઉપાસના માટે, એમના જ્ઞાનમય પ્રકાશને ઝીલવા