Book Title: Mahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Author(s): Bakul Raval, C N Sanghvi
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 310 વિશે પૂછવામાં આવ્યું ત્યારે મૌન રહેલા સહપાઠીઓ તરફ મોટાઈથી નજર ડે ઑફ ઘંટ બ્લ બૉય! અને ગયે જ મહિને એક જૈન પરિવારની સુંદર સુશીલ અને ફાંકડું અંગ્રેજી બોલતી બાલિકાને એના ધર્મ વિશે પૂછયું ત્યારે થોડો વખત મૂંઝાઈને એણે કહ્યું, ‘ઈટ ઈઝ સમથિંગ અબાઉટ વેજીટેબલ્સ એન્ડ નૉટ ટુ કિલ એનીબડી - રાઈટ?' એને શી રીતે કહેવું “રાઈટ’? મારો મૂંઝાએલો ચહેરો જોઈ એણે સ્નેહથી ઉમેર્યું, ‘આય ઓલસો નો ધેટ અરિહંતાણં' ધ ગૂડ!' કહી વાત પતાવી, પણ વાત એટલેથી પતતી તો નથી. છતે માબાપે બાળક અનાથ બને, ગર્ભશ્રીમંત પરિવારના છોકરાને એના વારસામાંથી કાણી કોડી ન મળે, ત્યારે આપણું દિલ દ્રવી ઊઠે છે. તો ધર્મના, સંસ્કૃતિના, સાહિત્યના અમર વારસાથી આપણાં બાળકોને આપણે વંચિત રાખીએ છીએ એથી આપણને કંઈ નથી થતું? જે બાબતનું જ્ઞાન જ નથી તેનું ગૌરવ તેઓ કયાંથી અનુભવવાનાં હતાં? ભારતીય હોવામાં ગર્વની, આનંદની લાગણી તેમને ક્યાંથી થવાની? અને અંગ્રેજો શું આ શ્યામ અંગ્રેજોને દિલથી અપનાવવાના હતા? ‘દુવિધામાં દોનોં ગયે, માયા મિલી ન રામ, એવો ઘાટ નથી થવાનો? ન અંગ્રેજ, ન ભારતીય, એવી અદ્ધરતાલ અવસ્થામાં લટકતો ત્રિશંકુ જેવી હાલત આપણાં બાળકોની આપણે શા માટે કરવી જોઈએ ? ભારતવર્ષને શ્યામ અંગ્રેજોનો દેશ બનાવવાનું આપણું ધ્યેય છે?” અબોલ છે. તિલકની પેઠે છાતી ઠોકીને કહી નથી શકવાનું કે માતૃભાષા મારો જન્મસિદ્ધ હકક છે. તેથી શું આપણે એની લાચારીનો ગેરલાભ ઉઠાવવો? અંગ્રેજી શાળામાં ધકેલી દેવું? પણ માતૃભાષાના માધ્યમમાં બાળકોને ભણાવતાં પહેલાં આપણે વિકટ પડશે. શિક્ષણ અને જીવનના ધ્યેય વિશે સ્પષ્ટ અને પ્રમાણિક થવું પડશે. છે તૈયારી? ન હોય તો, સર્વનાશની રાહ જોયા કરીએ. બીજો વિકલ્પ જ નથી. ***